Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

સોમવારથી મફત ઉકાળો પીવા સંત કબીર રોડ પર પહોંચજો

ઉકાળો કરાવવાવાળા નહિ, પણ પીવડાવવાવાળા

રાજકોટ, તા. ૨૫ :. શ્રી ગુરૂદતાત્રેય સહકારી મંડળી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મંડળીના કાર્યાલય સંત કબીર રોડ, સરદાર સ્કૂલ સામે શિયાળામાં આરોગ્યવર્ધક ઉકાળા વિતરણનું આયોજન છે. જેનો પ્રારંભ તા. ૨૭ નવેમ્બર સોમવારથી થશે. વિનામૂલ્યે ઉકાળા વિતરણનો સમય દરરોજ સવારે ૫.૩૦ થી ૭ વાગ્યા સુધીનો રહેશે.

લીમડાનો ગળો, કડવુ કડીયાતુ, સુઠ, આદુ, તુલસીનો પાવડર વગેરે આયુર્વેદિક વસ્તુઓથી સૌને સ્ફુર્તિદાયક ઉકાળાનો લાભ લેવા માટે મંડળીના પ્રમુખ પૂર્વ ધારાસભ્ય ટપુભાઈ લીંબાસીયાએ આમંત્રણ આપેલ છે.(૨-૧૬)

 

(5:01 pm IST)