Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

સ્થા.જૈન મોટાસંઘમાં વરસીતપ આરાધકોની સમૂહ નવકારશી અને બહુમાનઃ સંપન્ન

રાજકોટ,તા.૨૫ : શ્રી સ્થાનકવાસી જૈન મોટાસંઘ-વિરાણી પૌષધશાળા ખાતે જૈનાચાર્ય પૂ.જશાજી સ્વામીની સ્વગોરોહણ શતાબ્દી ઉપલક્ષે ભારતભરમાં વરસીતપ ચાલુ છે. રાજકોટના વરસીતપ આરાધકોના પ્રથમ નવરકારથી પારણા તા.૨૫ ને શનિવારે સવારે ભકતામર જાપ બાદ ૮ કલાકે યોજાયેલ. જેમાં પૂ.સાધનાબાઈ મ.સ., પૂ.પલ્લવીબાઈ મ.સ. એ તપાશીષ પાઠવ્યા હતા.

સંઘપ્રમુખ ઈશ્વરભાઈ દોશીના નેતૃત્વમાં ટ્રસ્ટીમંડળ, કમિટિ વગેરેએ તપસ્વીઓના પ્રથમ મણકાના પારણામાં સેવા બજાવી હતી. સંઘ તરફથી રોકડ તેમજ કાંતિભાઈ વિરાણી પરિવારે બહુમાન કરેલ.

આવતીકાલે રવિવાર ભકિતનગર જૈન ઉપાશ્રય (કોઠારી ઉપાશ્રય) ખાતે પૂ.શ્રી ધીરગુરુદેવના આજ્ઞાનુવર્તી પૂ.પુષ્પાબાઈ મ.સ.ની નિશ્રામાં સવારે ૯ કલાકે આગમજાપ અને ૯:૩૦ કલાકે પ્રવચન મધ્યે સમૂહ વરસીતપ પ્રતિજ્ઞા અને આચારાંગ સૂત્ર વિમોચન વિધિ યોજાશે. ભાવિકોને કાર્યક્રમનો લાભ લેવા મોટાસંઘ અને ભકિતનગર સંઘની સંયુકત યાદીમાં અનુરોધ કરાયો છે.(૩૦.૫)

 

(5:00 pm IST)