Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

જેની સાથે મંદિરમાં લગ્ન કર્યા એ પરણેલો નીકળ્યો, માથાકુટ બાદ યુવતિએ ઝેર પીધું

મુળ વેરાવળની હાલ રાજકોટ રહેતી યુવતિ ધ્રોલ નજીક ઝેર પી જતાં સાથેનો સંજયરાજ અને તેનો મિત્ર ભાગી ગયાઃ ધ્રોલ પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૨૫: કરણપરા મેઇન રોડ પર પ્રદિપ એપાર્ટમેન્ટમાં રહેતી મુળ વેરાવળની સુમિતા કાળુગીરી ગોસ્વામી (ઉ.૨૫) નામની યુવતિ તેના મિત્ર સંજયરાજ ઝાલા સાથે ધ્રોલ હતી ત્યારે તેની સાથે ઝઘડો થતાં ઝેરી દવા પી લેતાં સારવાર લેવી પડી હતી.

સુમિતાને ૧૦૮ મારફત ગઇકાલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં તેણીએ ધ્રોલમાં મિત્ર સંજયરાજ સાથે માથાકુટ થતાં અને તેણે દવા પી લેવાનું કહેતાં પોતે દવા પી ગયાનું જણાવતાં ધ્રોલ પોલીસને જાણ કરાઇ હતી. સુમિતાએ જણાવ્યું હતું કે રાજકોટમાં સંજયરાજ સાથે ત્રણેક માસ પહેલા પરિચય થતાં અને તેણે પોતે કુંવારો છે તેમ કહેતાં તેની સાથે મંદિરમાં લગ્ન કરી લીધા હતાં. પણ બાદમાં તે પરણેલો હોવાની જાણ થતાં પોતે વેરાવળ રહેવા જતી રહી હતી. ત્યાંથી મિત્ર સંજયરાજ મનાવીને પરત રાજકોટ કાર મારફત લાવતો હતો. તેની સાથે તેનો એક મિત્ર પણ હતો. શાપર પાસે માથાકુટ થયા બાદ બંને ધ્રોલ તરફ ગયા હતાં. ધ્રોલમાં એક દુકાનેથી ઝેરી દવા લીધા બાદ તે બોટલ પોતાને અપાતાં પોતે તેમાંથી દવા પી ગઇ હતી. બીજી તરફ સંજયરાજ અને તેનો મિત્ર ત્યાંથી નીકળી ગયા હતાં અને યુવતિને રાજકોટ સારવાર માટે ખસેડાઇ હતી.

(12:55 pm IST)