Gujarati News

Gujarati News

News of Tuesday, 25th October 2022

સામાજિક જીવન હોય કે રાજકીય જીવન દરેક રસ્તે એક ધ્યેય સમાન હોય છે અને તે જનતાની સુખાકારી, સમૃદ્ધિ અને આરોગ્યમય જીવન : હાર્દિક પટેલ

રાજકોટ તા.૨૫: સામાજિક જીવન હોય કે રાજકીય જીવન દરેક રસ્તે એક ધ્યેય સમાન હોય છે અને તે જનતાની સુખાકારી, સમૃદ્ધિ અને આરોગ્યમય જીવન છે. તેમ ભાજપના યુવા નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું.

       હાર્દિક પટેલે વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારની સુખાકારી, સમૃદ્ધિ અને આરોગ્યમય જીવનની પ્રાર્થના માટે કમીજલા સ્થિત ભાણ સાહેબની જગ્યામાં નળકાંઠા વિસ્તારના ૩૨ ગામોના ૫૩ મહિલા મંડળોને તેડાવીને રામધૂન નું આયોજન તથા મહિલા સંમેલન યોજવામાં આવ્યું. નળકાંઠા વિસ્તારની સમૃદ્ધિ માટે દિવાળીના પવિત્ર દિવસે ભગવાન શ્રી રામને પ્રાર્થના કરી હતી.

(10:17 pm IST)