Gujarati News

Gujarati News

News of Tuesday, 25th October 2022

આજીડેમ ચોકડીએ દિવાળીને દિવસે જીવલેણ અકસ્‍માતઃ ટ્રકે એકટ્‍ીવાને ઉલાળતાં દાદા-પોૈત્ર ફેંકાઇ ગયાઃ ૧૨ વર્ષના પોૈત્ર દેવ સોલંકીનું મોત

રાજકોટઃ દિવાળીને દિવસે રાજકોટ-ભાવનગર હાઇવે પર આજીડેમ ચોકડી પાસે જીવલેણ અકસ્‍માત સર્જાયો હતો. ટ્રકે એક્‍ટીવાને ઉલાળતાં તેના ચાલક કોળી વૃધ્‍ધ અને ૧૨ વર્ષનો પોૈત્ર ફંગોળાઇ જતાં પોૈત્ર પર ટ્રકના પાછળના વ્‍હીલ ફરી જતાં ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્‍યું હતું.

આજીડેમ ચોકડી માનસરોવર પાર્ક-૨ બ્‍લોક નં. ૨૪માં રહેતાં ગોવિંદભાઇ કાનજીભાઇ સોલંકી (ઉ.૬૫) નામના કોળી વૃધ્‍ધ અટીકા ક્રોસીંગ પાસે લાઠીયા મોટર્સ ગેરેજમાં પેઇન્‍ટર તરીકે કામ કરતાં હોઇ સાંજે પોતાના પોૈત્ર દેવ સંજય સોલંકી (ઉ.વ.૧૨)ને પોતાના એક્‍ટીવા જીજે૦૩બીએચ-૨૮૭૧માં બેસાડી આ ગેરેજ ખાતે આવ્‍યા હતાં. કામ પત્‍યા બાદ બંને પરત ઘરે જતાં હતાં ત્‍યારે આજીડેમ ચોકડી બસ સ્‍ટોપની સામે પહોંચતા ટ્રક જીજે૦૯ઝેડ-૪૪૮૨ના ચાલકે ઠોકરે ચડાવતાં બંને ફંગોળાઇ ગયા હતાં. જેમાં ૧૨ વર્ષના દેવના બંને પગ, કમર પર ટ્રકના વ્‍હીલ ફરી વળતાં ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યું હતું. ચાલકે ટ્રક ઉભો રાખી દીધો હતો અને ચાલકે પોતાનું નામ ભરત રાઠોડ જણાવ્‍યું હતું. આજીડેમ પીઆઇ કે. જે. કરપડાની રાહબરીમાં પીએસઆઇ એ. જે. પરમારે ગોવિંદભાઇની ફરિયાદ પરથી ટ્રક ચાલક સામે ગુનો નોંધ્‍યો હતો.

(12:19 pm IST)