Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

કાલથી પૂ. નિર્દોષાનંદજી મહારાજના સદ્શિષ્ય સ્વામીશ્રી પૂ. ભોલાનંદ સરસ્વતીજી મહારાજ રાજકોટમાં

શનિવાર સુધી જુદી જુદી જગ્યાએ દર્શન-પ્રવચનનો લાભ આપશેઃ ભાવિકોમાં ભારે ઉત્સાહ

રાજકોટ, તા. ૨૫ :. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામે કોઈપણ જાતના ભેદભાવ વગર દર્દીનારાયણની વિનામૂલ્યે તમામ પ્રકારની આરોગ્ય સેવા કરતી માનવ સેવા હોસ્પીટલના પ્રણેતા પૂ. સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના સદ્શિષ્ય સ્વામીશ્રી ભોલાનંદ સરસ્વતી મહારાજ કાલે તા. ૨૬ને મંગળવારથી રાજકોટ પધારી રહ્યા છે. તેઓએ શ્રી સનાતન ધર્મ શિવભકિતની અમૃતમય વાણીનો જુદા જુદા વિસ્તારોમાં લાભ આપશે. પૂ. ભોલાનંદ સરસ્વતી મહારાજ કાલે તા. ૨૬ને મંગળવારે સવારે ૯ વાગ્યે વિરનગર આશ્રમથી પ્રસ્થાન કરીને રાજકોટ ખાતે કિશોરભાઈ કથીરીયાની વાડી, સર્વોદય સ્કૂલની સામે, ઈવેન્ટા પાર્ટીપ્લોટની સામે, પુનિતનગર, ૮૦ ફૂટ રોડ રાજકોટ ખાતે બિરાજમાન થશે.

કાલે તા. ૨૬ને મંગળવારે કિશોરભાઈ કથીરિયાની વાડી, સર્વોદય સ્કૂલની સામે, ઈવેન્ટા પાર્ટી પ્લોટની સામે, પુનિતનગર, ૮૦ ફૂટ રોડ રાજકોટ મો. ૯૪૨૬૨ ૩૭૮૭૦, મો. ૯૯૧૩૫ ૦૮૭૧૦, મો. ૯૮૭૯૫ ૭૩૫૨૮.

તા. ૨૭ને બુધવારે બીજા દિવસે શ્રી રામજી મંદિર, રામનગર મેઈન રોડ, રાજકોટ ચંદુભાઈ સિદ્ધપુરા મો. ૯૮૯૮૫ ૬૬૪૮૯, વસંતભાઈ ગાદેશા મો. ૯૯૦૯૦ ૩૩૩૪૧.

તા. ૨૮ને ગુરૂવારે શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર, હરિધવા રોડ, બાબરીયા મેઈન રોડ રાજકોટ ચંદુભાઈ શેખડા મો. ૯૮૭૯૫ ૭૩૫૨૮.

તા. ૨૯ને શુક્રવારે શ્રી ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ રાજકોટ વસંતભાઈ ગાદેશા મો. ૯૯૦૯૦ ૩૩૩૪૧, લાલજીભાઈ ગજેરા મો. ૯૪૨૬૨ ૩૭૮૭૦.

તા. ૩૦ને શનિવારે તિરૂપતિ પાર્ક, શેરી નં. ૧, નાનામવા મેઈન રોડ રાજકોટ કિશોરભાઈ મો. ૯૯૧૩૫ ૦૮૭૧૦ ખાતે પ્રવચન અને દર્શનનો રાત્રીના ૯ થી ૧૦.૩૦ સુધી લાભ આપશે.

ભાવિકોને દર્શન તથા સત્સંગનો લાભ લેવા માટે શ્રી નિર્દોષાનંદજી સત્સંગ મંડળ રાજકોટ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે. સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ JANJAGRUTITIMBI ઉપર સબસ્ક્રાઈબ કરવાથી જોવા મળશે. જેનો લાભ લાભ અનુરોધ કરાયો છે.

(3:40 pm IST)