Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

ગણપતિદાદાના સાનિધ્યમાં રકતદાન કેમ્પ

 શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ સિદ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવમાં રોજેરોજ વિવિધ સાંસ્કૃતિક તથા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ તે અંતર્ગત અંતિમ દિવસે સીવીલ હોસ્પીટલના ગરીબ દર્દીઓના લાભાર્થે રકતદાન શિબિરનું આયોજન થયુ હતુ. આ રકતદાન કેમ્પમાં સીવીલ હોસ્પીટલની મેડીકલ ટીમ પણ જોડાઈ હતી અને દર્શનાર્થીઓ તેમજ સમિતિના સભ્યોએ ખૂબ જ મોટા પ્રમાણમાં રકતદાન કરેલ. ૪૫ બોટલ જેટલુ રકતદાન થયેલ. કાર્યક્રમને સફળ બનાવવા સાંસ્કૃતિક સમિતિના ઈન્ચાર્જ તેમજ મુખ્ય માર્ગદર્શક કિશોરભાઈ રાઠોડ સહિત સાંસ્કૃતિક સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી (૨-૧૯)

(4:25 pm IST)