Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

BAPS મંદિરે પ્રમુખ પ્રતિભા પર્ર્વ

રાજકોટ : પૂ. પ્રમુખસ્વામી મહારાજના ૯૮માં જન્મજયંતિ મહોત્સવના ઉપક્રમે પૂ. મહંતસ્વામીના આશીર્વાદથી રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા ' પ્રમુખ પ્રતિભા પર્વ'નું તા. ૨૪ થી ૨૯ સુધી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ સ્પર્ધા, નિબંધલેખન, પ્રશ્નોતરી, એકપાત્રીય અભિનય, સમૂહગાન, વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સતત ૭ દિવસ ચાલનાર આ પ્રમુખ પ્રતિભા પર્વમાં ૧૫૦ થી વધુ શાળાઓના ૩૦૦૦થી અધિક વિદ્યાર્થીઓ ભાગ લઇ રહયા છે. પ્રત્યેક સ્પર્ધામાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના સંત નિર્દેશક પૂજય અપૂર્વમુનિ સ્વામિ દ્વારા વિદ્યાર્થીઓએ વ્યસનમુકિત, પ્રામાણિકતા, અને ચારિત્ર્ય જેવા મૂલ્યનિષ્ઠાના પાઠો ચરિતાર્થ કરાયા હતા. પ્રથમ દિવસે ૧૫૦૦ થી અધિક વિદ્યાર્થીઓએ યુગવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી પ્રેરણા અને નૈતિકતાના પાઠો શીખીને જીવનને સફળ અને ઉજજ્વળ બનાવવાની પ્રેરણા મેળવી હતી. સત્કાર સમારંભ યોજવામાં આવશે જેમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ઇનામ આપી બિરદાવવામાં આવશે.

(4:07 pm IST)