Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

ગોકુલધામના કિશોરસિંહ જેઠવા મુળ ગોસા (પોરબંદર)ના વતનીઃ નિવૃત પીઆઇ પી.વી. ગોહિલના બનેવીસાહેબ થતા હતાં

પોતે ગોંડલ રોડ પર ન્યુમેટિક પાર્ટસનો વેપાર કરતા હતાં

 કોરોનાથી મૃત્યુ પામનાર કિશોરસિંહ (કેશુભા) જીવુભા જેઠવા (ઉ.વ.૫૬) મુળ પોરબંદરના ગોસાના વતની હતાં. તેઓ ધર્મેન્દ્રસિંહ જેઠવા અને રણધીરસિંહ જેઠવાના સગા ભાઇ તથા નિવૃત પીઆઇ પી. વી. ગોહિલના બનેવીસાહેબ થતાં હતાં. તેમજ  મયુરસિંહ એચ. ઝાલાના ફુવાજી થતાં હતાં. સ્વ. કિશોરસિંહ જેઠવા ગોંડલ રોડ પર ન્યુમેટિક પાર્ટસની દૂકાન ધરાવતાં હતાં. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પુત્ર ઓસ્ટ્રેલિયા ખાતે અભ્યાસ કરે છે અને પુત્રી આત્મીય કોલેજમાં એન્જિનિયરીંગનો અભ્યાસ કરે છે. બનાવને પગલે પરિવારજનો, બહોળા મિત્રવર્તુળમાં ગમગીની છવાઇ ગઇ હતી. અંતિમવિધીમાં ઘરના ચાર સ્વજનો જોડાયા હતાં.

(4:06 pm IST)