Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

૫૦ ધન્વંતરી રથ દ્વારા પાંચ લાખ લોકોને ઉકાળા-દવાનું વિતરણ

રાજકોટઃ મહાનગરપાલિકા વિસ્તારમાં રાજય સરકારના આરોગ્ય વિભાગના આદેશ અન્વયે કોરોના રોગના દર્દીઓના કોરોના સ્ક્રીનીંગ, રોગ પ્રતિકારક શકિત તથા પ્રચાર-પ્રસાર ના ઉમદા આશયથી ૧ લી જુલાઈ થી ધન્વંતરી રથની કામગીરી ચાલુ કરવામાં આવી છેજે તસ્વીરમાં દર્શાય છે. આ અંગે વિશેષ માહિતી આપતા આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકર દ્વારા જણાવવામાં આવેલ કે જીતશે રાજકોટ, હારશે કોરોના સાર્થક કરવા દરેક વોર્ડમાં રાજકોટ મહાનગરપાલિકાના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા ૫૦ ધન્વંતરી રથ શહેરમાં સવારે-સાંજે જુદા જુદા વિસ્તારમાં કાર્યરત છે. જેના દ્વારા કુલ પાંચ લાખ લોકોને ઉકાળો ત્થા દવા વિતરણ કરાયુ હતુ.

(3:59 pm IST)