Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

રાવલ પરિવારના આંગણે અવસર : માસ્ક પહેરીને વિધિ

રાજકોટ : બ્રહ્મસેના સ્થાપક જગદીશભાઇ રાવલની સુપુત્રી ચિ. જાનકીના શુભલગ્ન  વિજયભાઇ જાનીના સુપુત્ર ચિ. તેજસ સંગાથે નિરધારવામાં આવ્યા હતા. હાલ કોરોના મહામારીને ધ્યાને લઇ એકદમ સાદગીથી પાર પાડવામાં આવેલ આ મંગલ અવસરે વર કન્યાએ માસ્ક ધારણ કરીને તમામ વિધી આટોપી હતી. એટલુ જ નહીં કંકોત્રીમાં પણ કોરોનાથી સાવધાન રહેવા  સ્લગ છપાવી મહેમાનોને સભાન કરાયા હતા. સરકારની ગાઇડ લાઇનને ચુસ્ત અમલ કરવા સાથે આ  મંગલ પ્રસંગ લેવાયો હતો.  નવદંપતિને રૂબરૂ મળવાને બદલે ફોન-વોટસએપ દ્વારા શુભેચ્છા પાઠવવા મો.૮૭૮૦૧ ૯૬૨૮૨ તથા મો.૯૯૦૪૭ ૪૪૫૬૯ ઉપર સંપર્ક કરવા વિનંતી કરાઇ હતી. તેમ બ્રહ્મસેના અધ્યક્ષ જગદીશભાઇ રાવલ (મો.૭૪૦૫૪ ૯૧૫૧૮) ની યાદીમાં જણાવાયુ છે.

(3:48 pm IST)