Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

રાજકોટમાથી માનસીક દિવ્યાંગ સંતોષ દવે લાપત્તા

રાજકોટ તા.રપ : રાજકોટમાથી માનસીક દિવ્યાંગ વ્યકિત લાપત્તા થતા પોલીસમા ફરિયાદ કરવામાં આવી છે.

રાજકોટની ભીડભંજન સોસાયટી શેરી નં.૪, યૂનિવર્સિટી રોડ ઉપર રહેતા સંતોષભાઇ પ્રાણભાઇ દવે (ઉ.વ.૬૧-સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ) લાપત્તા થયેલ છે તે અપરણીત છે.

આ અંગે રાજકોટ ગાંધીગ્રામ-ર-યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે અરજી કરવામા આવી છે.

સંતોષભાઇ દવેનો કોઇને પત્તો મળે તો મનુભાઇ પ્રાણભાઇ દવેના મો. ૯૯૧૩૪ પપ૧ર૬ અથવા કનુભાઇ દવેના મો.નં. ૯૪ર૬૭ ૭૩પ૭પ ઉપર સંપર્ક કરવા અથવા ગાંધીગ્રામ-ર યુનિવર્સિટી પોલીસ સ્ટેશન, રાજકોટનો સંપર્ક કરવા જણાવાયું છે.

(2:47 pm IST)