Gujarati News

Gujarati News

News of Wednesday, 25th July 2018

વૈષ્ણવ વ્રજયાત્રા અંતર્ગત મીટીંગ

 રાજકોટઃ શ્રી પુષ્ટિધામ હવેલી (નૂતન હવેલી)નું નિર્માણ રણછોડનગર વિસ્તારની પાવન ભૂમિ પર પ્રથમ વખત થઈ રહ્યું છે. જે અંતર્ગત અને શ્રી વલ્લભીય વ્રજયાત્રા ૮૪ કોસ લીલી પરિક્રમા ૨૦૧૯માં (કડી અમદાવાદ ગૃહ)ની મીટીંગમાં જેમાં ગોસ્વામી શ્રી કૃષ્ણકુમારજી મહોદયશ્રી (કડી), ગોસ્વામી શ્રી કુંજેશકુમારજી મહોદયશ્રી (કડી), ગોસ્વામી ચિ.શ્રી સાંનિધ્યકુમારજી બાવા અને ગોસ્વામી ચિ.શ્રી અશ્રયકુમારજી બાવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં ઉદ્યોગપતિ રમેશભાઈ ધડૂક (ગોંડલ), કિશોરભાઈ રાણપરા (સમ્રાટ જેવલર્સ- મોરબી), ભિખુભાઈ રાણપરા (ગોંડલ) અને મનુભાઈ રાણપરા તેમજ મનોરથી રાજુભાઈ પટેલ તથા રણછોડનગરના સર્વે ભાવિક વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા.

(2:40 pm IST)