Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

શિવપરા યુવક મંડળ દ્વારા શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમીતે શ્રધ્ધાંજલિ

રાજકોટઃ રૈયા રોડ પર હનુમાન મઢી પાછળ વોર્ડ નં. ૯ના શિવપરામાં ૨૩મીએ શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિતે તેમની તસ્વીર સમક્ષ ફુલહાર કરી  શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રણછોડભાઇ ભરવાડ તથા શિવપરા યુવક મંડળના તમામ સભ્યો અને બહેનોએ ભાગ લીધો હતો. ઉલ્લેખનિય છે કે ડો. શ્યામાપ્રસાદ મુખર્જી દ્વારા કાશ્મીર સત્યાગ્રહની લડતમાં ૨૩ જુનના રોજ દેશની એકતા અને અખંડિતતાના પ્રયાસમાં પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. આ દિવસને ભાજપ દ્વારા બલિદાન દિવસ તરીકે મનાવવામાં આવે છે.

(12:06 pm IST)