Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઓકસીજન મશીનો અર્પણ

કોરોનાના દર્દીઓને ઓકસીજનની જરૂરીયાત પુરી પાડી શકાય તેવા હેતુથી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઠાકોરજીના સાનિધ્યમાં પૂ. બ્રહ્મતીર્થ સ્વામી, પૂ. અપૂર્વમુનિ સ્વામી અને પૂ. વિશ્વેશતીર્થ સ્વામી દ્વારા પૂજનવિધિ કરી સંખ્યાબંધ ઓકસીજન કોન્સટ્રેટર મશીનો જલારામ હોસ્પિટલ, સાર્થક હોસ્પિટલ, રોલેકસ એસ.એન.કે. સેન્ટર, આયુષ્યમાન હોસ્પિટલ અને કાનાબાર હોસ્પિટલને અર્પણ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે લોકડાઉન દરમિયાન પણ આ સંસ્થા દ્વારા શાકભાજી, અનાજ, દવા સહીતની કીટનું વિતરણ કરાયુ હતુ. મંદિર દ્વારા ત્રણે સમયનું ભોજન ભગવાનને ધારાવી પ્રસાદ સ્વરૂપે હોસ્પિટલોના દર્દીઓને મોકલવામાં આવે છે. દર્દીઓ વહેલાસર સાજા થઇ જાય તે માટે મંદિરમાં વૈદિક મહાપૂજા કરવામાં આવે છે.

(4:10 pm IST)