Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

અભાવિપ દ્વારા ઢોકળીયા ગામથી ગ્રામસંજીવની અભિયાનનો પ્રારંભ

રાજકોટ  : કોરોનાની બીજી લહેરે શહેરોમાં હાહાકાર મચાવ્યા બાદ ગામડાઓમાં પણ કહેર વતાવ્યો છે. ત્યારે ગ્રામજનોને મદદરૂપ બનવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગ્રામ સંજીવની અભિયાન શરૂ કરાય છે. ઢોકળીયા ગામથી શરૂ કરાયેલ આ અભિયાનમાં અભાવિપના કાર્યકરો ગામડાઓમાં ઘરે ઘરે જઇ લોકોને મદદરૂપ બનવા પ્રયાસ કરશે. ઓકસીજન લેવલ, ટેમ્પ્રેચર સહીતની તપાસ કરાશે. જરૂર જણાય તેવા લોકોના ડેટા બનાવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને જાણ કરવામાં આવશે. આ અભિયાનમાં સાથે જોડાવા ઇચ્છુકોએ મો.૭૩૮૩૨ ૩૧૧૪૬ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(4:08 pm IST)