Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

રાજકોટ સિવીલમાં મ્યુકર માઇકોસીસના ગઇકાલે માત્ર ૧ર કેસ આવ્યાઃ ઇન્જે.નો પુરતો સ્ટોક

રાજકોટ તા. રપઃ એડીશ્નલ કલેકટર શ્રી પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું કે કોરોનાના કેસો કાબુમાં છે, ૪૮૦૦ જેવા બેડ ખાલી છે, અને હવે તો મ્યુકર માઇકોસીસના કેસોમાં પણ ઘટાડો આવ્યો છે, પહેલા ૪૦ થી પ૦ આવતા હતા, ત્યારબાદ ર૦ થી રપ થયા અને ગઇકાલે તો સિવીલમાં માત્ર ૧ર કેસો જ આવ્યા છે.

મ્યુકર માઇકોસીસના ઇન્જેકશન અંગે તેમણે જણાવેલ કે આપણી પાસે પૂરતો સ્ટોક છે, ગઇકાલ બાદ આજે પણ ઇન્જેકશન અપાયા છે, અને સ્ટોક પણ આવશે, ઓકસીજન અંગે કહ્યું કે હવે તેટલી જરૂરીયાત નથી, પહેલા પ થી ૬ ટેન્કર જામનગરથી આવતા હતા, હવે ર થી ૩ ટેન્કર આવે છે, ૬૦ થી ૭૦ ટકાનો ઘટાડો થયો છે.

(3:17 pm IST)