Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

ગુરૂવારે વોર્ડ નં. ૭,૧૩,૧૪,૧૭ના અર્ધા વિસ્તારોમાં પાણી વિતરણ બંધ

ગુરૂકુળ પાણીનાં ટાંકાની સફાઇ કરવા માટે ઢેબર રોડ અને ગોંડલ રોડનાં વિસ્તારોમાં પાણી કાપ રહેશે

રાજકોટ,તા. ૨૫: શહેરનાં વોર્ડ નં. ૭,૧૩,૧૪,૧૭નાં અર્ધા વિસ્તારોમાં તા. ૨૭ને ગુરૂવારે પાણી વિતરણ બંધ રાખવામાં આવશે. આ અંગે વોટરવર્કસ વિભાગની યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્કસ સેન્ટ્રલ ઝોન અંતર્ગત ભાદર પાણી પુરવઠા યોજનાના રીબડા ફિલ્ટર પ્લાન્ટ પર કલેરીફાયરની સફાઇ તથા ઇલે./ સિવિલ વિભાગ દ્વારા પ્રી મોન્સુન મેઇન્ટેનન્સની કામગીરી સબબ તા. ૨૭ને ગુરૂવારના રોજ ગુરૂકુળ હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં ઢેબર રોડના (વોર્ડ નં. ૭ પાર્ટ, ૧૪ પાર્ટ, ૧૭ પાર્ટ) અને ગોંડલ રોડના (વોર્ડ નં. ૭ પાર્ટ અને ૧૩ પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવી.

કયાં -કયાં વિસ્તારમાં અસર

વોર્ડ નં. ૭ ના લોહાનગર, ભકિતનગર સ્ટેશન પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, ઉદ્યોગ નગર, જૈનચાલ વગેરે.

વોર્ડ નં. ૧૩ ના ન્યુ પપૈયા વાડી, હરિદ્વાર પાર્ક, બાન લેબ આવાસ યોજના, સમ્રાટ ઇન્ડીસ્ટ્રીયલ એરિયા, પંચશીલ સોસાયટી, ભોલેનાથ સોસાયટી, ડાલીબાઇ આવાસ, દ્વારકેશ પાર્ક, વૈદવાડી, કૈલાશનગર, અંબાજી કડવા પ્લોટ વગેરે.

વોર્ડ નં. ૧૪ ના શ્રમજીવી સોસાયટી, ગોપાલનગર, ગાયત્રીનગર, વાણીયાવાડી, ઢોલરીયાનગર, ધર્મજીવન સોસાયટી, મયુર પાર્ક, કોઠારિયા કોલોની લક્ષ્મીવાડી, મિલપરા, માસ્તર સોસાયટી વગેરે. તેમજ વોર્ડ નં. ૧૭ના આનંદનગરપ કાળા પથ્થર કવાર્ટસ, ગીતાંજલિ સોસાયટી, અજંન્તા પાર્ક, નારાયણ નગર, હસનવાડી, અમૃત પાર્ક, ઢેબર કોલોની, મેઘાણી નગર સહિતના વિસ્તારોમાં ગુરૂવારના પાણી વિતરણ નહિ થાય.

(3:14 pm IST)