Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

શાપર વેરાવળના કારખાનામાં વીજ કરંટ લાગતા જીજ્ઞેશભાઇ પરમારનું મોત

બે બહેનના એકના એક ભાઇના મૃત્યુથી પરિવારમાં આક્રંદ

રાજકોટ તા. રપઃ શાપર વેરાવળમાં આવેલા કારખાનામાં વેલ્ડીંગ કામ કરતી વખતે વીજ કરંટ લાગતા યુવાનનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. મળતી વિગત મુજબ ગોંડલના ગુંદાસરા ગામમાં રહેતા જીજ્ઞેશભાઇ રમેશભાઇ પરમાર (ઉ.વ. ૩૪) આજે શાપર-વેરાવળમાં આવેલા કિશાન ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં વેલ્ડીંગ કામ કરતા હતા ત્યારે લોખંડનો સળીયો વીજ તારને અડી જતા કરંટ લાગતા તે બેભાન થઇ ગયા હતા. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને જીજ્ઞેશભાઇને સારવાર માટે પ્રથમ શાપર બાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક જીજ્ઞેશભાઇ બે બહેનોના એકના એક ભાઇ હતા. પુત્ર એ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે. આ બનાવ અંગે શાપર પોલીસે કાર્યવાહી કરી હતી.

(3:10 pm IST)