Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

ટીવીનાઇન એજયુકેશન એકસપો ૨૦૧૯નો શુભારંભ

રાજકોટઃ ટીવીનાઇન એજયુકેશન એકસપો ૨૦૧૯નો આજથી શુભારંભ થયો છે. સતત ત્રીજા વર્ષે ટીવીનાઇનને એજયુકેશન એકસપોમાં જવલંત સફળતા મળી છે. ધોરણ ૧૦ અને ૧૨ પછી શું અભ્યાસ કરવો તેવા વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ એક જ પ્લેટફોર્મ પર આપવામાં આવી રહ્યું છે. કાલાવડ રોડ પર આવેલ નુતનનગર હોલ ખાતે આજે અને આવતીકાલે એજયુકેશન એકસપોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે પ્રથમ દિવસે BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી અપૂર્વમુનિ સ્વામી અને સૌ. યુનિ.ના ઉપકુલપતિ ડો. વિજય દેસાણીના હસ્તે એજયુકેશન એકસપો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મેયર બીનાબેન આચાર્ય એ પણ ટીવીનાઇન એજયુકેશન એકસપોની મુલાકાત લઈને ટીવીનાઇનની સામાજિક જવાબદારીને બિરદાવી હતી.  (૪૦.૬)

 

(3:40 pm IST)