Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

મનહર સોસા.માં કોળી સગીરાનું અપહરણ

સગીરા બહેનપણીના ઘરે જવાનું કહીને નિકળ્યા બાદ

રાજકોટ તા.૨૫: થોરાળાની મનહર સોસાયટીમાં રહેતી કોળી સગીરા બહેનપણીના ઘરે જવાનું કહીને નિકળ્યા બાદ પરત ન આવતા થોરાળા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણનો ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

મળતી વિગત મુજબ મનહર સોસાયટી શેરીનં. ૧માં રહેતા કિશોરભાઇ ભીખાભાઇ સરવૈયા (ઉ.વ.૪૨)ની ૧૬ વર્ષની મિતલ ગત તા. ૨૪/૫ના રોજ બહેનપણીના ઘરે જવાનું કહી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી. પરંતુ તેનો કોઇ પતો ન લાગતા તેના પરિવારજનોએ થોરાળા પોલીસ મથકમાં જાણ કરતા પીએસઆઇ પી.ડી. જાદવે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:59 pm IST)