Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

ભાજપના પ્રબુધ્ધ નાગરિક સંમેલનમાં રાજકોટના વકીલોને હાજર રહેવા આહવાન

રાજકોટ તા.૨૫: રાજકોટ શહેરમાં તા. ૨૭-૫-૨૦૧૮ ના રોજ રવિવારે સાંજના રાજશ્રૃંગાર પાર્ટીપ્લોટ માં યોજાનાર ભાજપની નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપની સરકારને ૪ વર્ષ પુર્ણ થતા હોય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાંપ્રબુધ્ધ નાગરિકોનું સંમેલન રાખવામાં આવેલ છે. તે સંમેલનમાં મોટી સંખ્યામાં વકીલોને હાજર રહેવા પ્રદેશ ભાજપના સહ કન્વીનર દિલીપભાઇ પટેલ, રાજકોટ શહેર કન્વીનર હિતેષભાઇ દવે, સહ કન્વીનર બળવંતસિંહ રાઠોડ, તથા રાજકોટ બાર એશો.ના પ્રમુખ અનિલભાઇ દેસાઇ દ્વારા મોટી સંખ્યામાં વકીલો હાજર રહે તે માટે તૈયારીઓ કરવામાં આવી રહેલ છે.

રાજકોટ લીગલ સેલના રૂપરાજસિંહ પરમાર, વિજય દવે, ધર્મેશ સખીયા, ડી.સી.પરમાર તથા રેવન્યુ બારના પ્રમુખ સી.એચ. પટેલ, બાર એશો.ના પ્રમુખ પ્રકાશસિંહ ગોહિલ, ભરતભાઇ આહયા, બીપીનભાઇ ગાંધી, યોગેશ ઉદાણી, કલેઇમ બારના પ્રમુખ રાજેશ મહેતા, ક્રિમીનલ બારના પ્રમુખ તુષાર બસલાણી, ભારત સરકાર ના લો કમિશનના મેમ્બર અભય ભારદ્વાજ, અધિવકતા પરીષદના જયેશ જાની, પ્રશાંત જોષી, જી.આર.ઠાકર, જયદેવભાઇ શુકલ, પિયુષ શાહ, કમલેશ શાહ, દિલીપભાઇ જોષી, જયેશ બોધરા, અશ્વીન ગોસાઇ, મહિલા અધિવકતા પરીષદના જાગૃતિબેન દવે, અમૃતા ભારદ્વાજ મહેશ્વરી ચોૈહાણ, પન્ના બેન ભુત, નૈનાબેન ચોૈહાણ સહિતના સીનીયર જુનીયર વકીલો સંમેલન માટે તડામાર તૈયારીઓ કરી રહેલ છે. (૧.૨૭)

(3:55 pm IST)