Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

બુધવારે રામાણી પરીવાર દ્વારા ઓશો કિર્તન ઉત્સવ

સાથે નિર્વાણ સ્વામી ધ્યાન નિર્જન (રવિભાઇ) ને હૃદયાજંલી સાથે પુષ્પાજંલી : માસ્ક, હેન્ડસેનીટાઝેશન-સ્પેશ્યલ ડિસ્ટન્સ સાથે સરકારી ગાઇડ લાઇન મુજબ કાર્યક્રમનું આયોજન

રાજકોટઃ  આગામી તા.૨૭ને બુુધવારના રોજ નિર્વાણ સ્વામી ધ્યાન નિર્જન (રતિભાઇ રામાણી)ના નિર્વાણ નિમિતે તેમના પરિવાર દ્વારા ઓશો કિર્તન ઉત્સવ સાથે તેમને હૃદયાજંલી સાથે પુષ્પાજંલીના કાર્યક્રમનું આયોજન સાંજે ૫:૩૦ થી ૮ દરમિયાન કરેલુ છે. આ કાર્યક્રમમાં સહભાગી થવા ઓશો સન્યાસી તથા પ્રેમીઓને રામાણી પરિવાર (ઓશો પરિવાર) દ્વારા નિમંત્રણ અપાયું છે.

ઓશો કહે છે જયાં સુધી વ્યકિતને મૃત્યુનો ઠીક બોધ નથી થતો ત્યાં સુધી જીવન સંબંધમાં તે વિચારવાનું શરૂ નથી કરતો મૃત્યુ જ સવાલ ઉઠાવે છે કે જીવન શું છે? જો મૃત્યુ ન હોય તો જીવનના સંબંધમાં કોઇ સવાલ નહિ ઉઠે જો મૃત્યુ ન હોય તો ધર્મમાં જન્મનો કોઇ ઉપાય નથી. મૃત્યુ જ જગાડે છે. જે જીવન તમે જીવી રહયા છો જેને માટે તમે આજે જેટલા બેચેન છો તે જો કાલે રહેવાનો  જ છે. તો તેનુ મુલ્ય શું ? સ્થળઃ જગુબાર ફિટનેશ કલબ ૧૧ બ્રાહ્મણીયાપરા, સંત કબિર રોડ, શ્રી સદગુરૂ કોમ્પ્લેક્ષની સામે રાજકોટ. વિશેષ  માહિતી માટે હિમાંશુ રામાણી ૮૮૬૬૮ ૭૭૬૭૭, ધર્મેશભાઇ રામાણી ૯૭૩૭૯ ૭૭૯૭૭ નોંધઃ કાર્યક્રમ બાદ રાત્રે ૮ વાગ્યે મહાપ્રસાદ

(3:26 pm IST)