Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

'રામેશ્વર પાન' ત્રિંરંગાથી ઝળહળ્યુ : અનોખી દેશભકિત

રાજકોટ : શહેરના કોઠારીયા રોડ પર પુનિત સોસાયટી, રામેશ્વર ચોકમાં આવેલ 'રામેશ્વર પાન' ને ત્રિરંગાથી સજાવી અનોખી દેશભકિત વ્યકત કરવામાં આવી છે. દેશભકત નરેન્દ્રભાઇ ખોલીયા છેલ્લા ૪૦ વર્ષથી રાષ્ટ્રીય પર્વે આ રીતે દુકાન સજાવતા આવ્યા છે. ઇન્ટીરીયર તેમજ ફર્નીચરને નાના નાના ત્રિરંગાથી એ રીતે સજાવવામાં આવેલ છે કે ત્યાં ઉભા રહેતા જ સલામી આપવાનું હેત ઉભરાઇ આવે છે. આ દેશભકિતનું આ સુશોભન કરવા છેલ્લા ત્રણ મહિનાથી મહેનત ઉઠાવાઇ રહી હતી. તેમ નરેન્દ્રભાઇ ઉર્ફે નંદાભાઇ ખોલીયા (મો.૯૪૦૮૦ ૦૪૫૭૪) એ જણાવેલ છે.

(3:59 pm IST)