Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

કોઠારીયા રોડ પર બીન જરૂરી ખોદકામ તંત્રની ભુલથી વેપારીઓ હેરાન-પરેશાન

રાજકોટઃ શહેરના કોઠારીયા રોડ પર આવેલ વિર ભગતસિંહ શોપીંગ સેન્ટર પાસે મનપા દ્વારા કેબલ કામ માટે ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. વિસ્તારવાસીઓના જણાવ્યા પ્રમાણે તંત્ર દ્વારા આ ખોદકામ ખોટી રીતે શરૂ કરવામાં આવતા બીજી જગ્યાએ ખાડા ખોદવામાં આવ્યા છે. પહેલા કરવામાં આવેલ ખોદકામની વેપારીઓને આવન-જાવનમાં મુશ્કેલીનો સામનો કરવામાં આવી રહયો છે. આ અંગે યોગ્ય કરવા શોપીંગ સેન્ટરના વેપારીઓએ માંગ કરી છે.

(3:51 pm IST)