Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

રાજકોટના ENT ડો. ભરત કાકડીયાનું સેવા અને ડો. અમીત અગ્રાવતનું રીસર્ચ માટે પ્રતિષ્ઠીત રાષ્ટ્રીય એવોર્ડની સન્માન

ઇન્ડીયન મેડીકલ એસોસીએશન રાજકોટના ૭પ વર્ષની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રીય સન્માનની ગૌરવ વધ્યું : ડો. જયધીરવાણી

રાજકોટ, તા. ર૪ :   રાજકોટ તા.  ઈન્ડીયન મેડિકલ એસોસીએશન - રાજકોટના બે તબીબો ડો. ભરત કાકડીયા અને .અમીત અગ્રાવતને રાષ્ટ્રીય કક્ષાએ સન્માન-એવોડ  એનાયત કરવામાં આવ્યા છે જે રાજકોટ તબીબી જગત માટે ગૌરવની વાત છે એમ ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના પ્રમુખ ડો. જય ધીરવાણી અને  સેક્રેટરી ડો. રૂકેશ ઘોડાસરાની સંયુકત યાદીમાં જણાવાયું છે. દેશભરમાં કોરોના મહામારીના આ કપરા સમયે વિશેષ કામગીરી માટે રાજકોટના ડો. ભરત  કાકડીયાને વિશેષ સન્માન આપવામાં આવ્યુ છે તથા ડો. અમીત અગ્રાવતને રીસર્ચ માટેનો રાષ્ટ્રીય એવોર્ડ  ડો. ડી. એસ. મુનાગેકાર ઈન્ડીવ્યૂડયુઅલ  એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. રાજકોટના તબીબોને રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ અર્પણ કરવામાં રાજકોટ તબીબી જગત દ્વારા તેમના પર શુભેચ્છા વર્ષા  કરવામાં આવી છે. ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના આ છપમાં વર્ષની ઉજવણી પ્રસંગે બે તબીબોને રાષ્ટ્રીય સન્માન મળતાં ઉજવણીના આનંદમાં  ઉમેરો થયો છે. 

ડો. જય ધીરવાણીના જણાવ્યા અનુસાર, આઈ.એમ.એ. ગુજરાતના પૂર્વ ઉપપ્રમુખ ડો. ભરત કાકડીયાએ તાજેતરમાં કોરોના કાળમાં વિશેષ  કામગીરી કરી હતી. મહામારીના આ સમયે તેમણે આઈ.એમ.એ.ની વિવિધ કામગીરીમાં સંયોજક તરીકે સફળ કામગીરી કરી હોઈ, આઈ.એમ.એ.ના નેશનલ  બોડી દ્વારા તેમની કામગીરીને વિશેષ નોંધ લેવામાં આવી છે અને રાષ્ટ્રીય પ્રમુખ ડો. રાજેન શર્મા દ્રારા ડો. ભરત કાકડીયાને સ્પેશ્યઅલ એપ્રિએશન એવોર્ડથી  સન્માનીત કરવામાં આવ્યા છે. ડો. કાકડીયા ૩૦ જેટલાં વર્ષોથી રાજકોટમાં ઈ.એન.ટી. સર્જન તરીકે પ્રેકટીસ કરે છે. આઈ.એમ.એ. રાજકોટના પ્રમુખ,  ગુજરાતના ઉપપ્રમુખ સહિત વિવિધ પદો પર વર્ષો સુધી તેમણે સેવા આપી છે. તેઓ રાજકોટની અનેક ટ્રસ્ટની હોસ્પિટલ તથા કોર્પોરેટ હોસ્પિટલમાં તેમની  સેવા આપે છે. 

આઈ.એમ.એ.ના સેક્રેટરી ડો. રૂકેશ ઘોડાસરાના જણાવ્યા અનુસાર, રાજકોટના યુવા પેથોલોજીસ્ટ ડો. અમીત અગ્રાવતને ઈન્ડીયન મેડિકલ  એસોસીએશન-હેડકવાર્ટર દિલ્હી દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ માટે ડો. ડી.એસ. મુનાગેકાર વ્યકિતગત એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે. ડો અમીત અગ્રાવત  રાજકોટની પી.ડી.યુ. મેડિકલ કોલેજમાં પેથોલોજી વિભાગમાં સહ પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે. આઈ.એમ.એ. દ્વારા છેલ્લા બે વર્ષમાં રીસર્ચ ક્ષેત્રે તેમણે કરેલ  આઈ.એમ.એ. ગુજરાતના પૂર્વ પ્રમુખ અને હાલ રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો. અતુલ પંડયા, આઈ.એમ.એ. ગુજરાતના ઉપપ્રમુખ ડો. રશ્મી ઉપાધ્યાય, પૂર્વ  ઉપપ્રમુખ સર્વશ્રી ડો. એમ. કે. કોરવાડીયા, ડો. અમિત હપાણી, ડો. હિરેન કોઠારી, આઈ.એમ.એ.-રાજકોટના ઈલેકટ પ્રેસીડન્ટ ડો. પ્રફુલ કમાણી, પૂર્વ પ્રમુખ  ડો. ચેતન લાલસેતા, ડો. યજ્ઞેશ પોપટ, ડો. ભાવેશ સચદે, ડો. દીપેશ ભાલાણી, પૂર્વ સેક્રેટરી ડો. પારસ શાહ, ડો. તેજસ કરમટા, એડિટર ડો. ધર્મેશ શાહ,  થીમ કો.ઓડીનેટર ડો. સંકલ્પ વણઝારા, પેટ્રન ડો. એસ. ટી. હેમાણી, ડો. પ્રકાશ મોઢા, ડો. ભાવીન કોઠારી, ડો. ડી. કે. શાહ, ડો. સુશીલ કારીઆ, ડો. વલ્લભ કથીરીયા, વુમન્સ વિંગના ચેર પર્સન ડો. સ્વાતિ પોપટ, સેક્રેટરી ડો. વૃન્દા અગ્રાવત ઉપરાંત અગ્રણી તબીબો ડો. કીર્તિ પટેલ, ડો. સંજય ભટ્ટ, ડો.  નિતીન લાલ, ડો. કાન્ત જોગાણી, ડો. ગૌરવી ધ્રુવ, એફ.પી.એ. મેમ્બર ડો. કે. એમ. પટેલ, ડો. પંકજ મચ્છર, ડો. વસંત કાસુન્દ્રા, ડો. દીપક મહેતા, સહિત તબીબો આગેવાનો અને સમાજના વિવિધ વર્ગના આગેવાનો દ્વારા બન્ને તબીબોને શુભેચ્છા પાઠવવામાં આવી છે.

(2:32 pm IST)