Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

રાજકોટના મનહરપુરમાં નામચીન કોળી શખ્સ ભુપત સોમાભાઈના ખુનના ગુન્હામાં આરોપી આહીર શખ્સનો જામીન ઉપર છુટકારો

આરોપીનો કોઈ ગુન્હાહીત ભુતકાળ નથી, યુવા ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયાની ધારદાર રજુઆતો

રાજકોટ,તા.૨૪: શહેરના મનહરપુરમાં રહેતા કોળી યુવાન ભુપત સોમાભાઈ જાખેલીયાએ ગાંધીગ્રામ (યુની.) પોલીસ સ્ટેશનમાં તા.૧૦/૧૨/૧૯ના રોજ ફરીયાદ નોંધાવેલ હતી અને જેમાં જણાવેલ કે  પોતાને રીક્ષા પાર્ક કરવા બાબતે જયદીપ વિભાભાઈ હુંબલ વિગેરે સાથે ઝઘડો થયેલ  અને જે ઝઘડાનો ખાર રાખી જયદીપ વિભાભાઈ, પ્રકાશ વિભાભાઈ, વિભાભાઈ હુંબલ, જીતેશ કાનાભાઈ હુંબલ, અશ્વિન ખેંગારભાઈ જરુ, આનંદ ખેંગારભાઈ જરુ, અરશી આહીર વિગેરે શખ્સો સામે ખુની હુમલાની ફરીયાદ નોંધાવેલ હતી અને જેમાં ચાલુ સારવાર દરમ્યાન ભુપત સોમાભાઈનું મૃત્યુ નીપજતા ખુનનો ગુન્હો બનેલ હતો.

ઉપરોકત ગુન્હામાં પોલીસે જપદીપ વિભાભાઈ હુંબલ વિગેરે સાથે ઝઘડો થયેલ અને જે ઝઘડાનો ખાર રાખી જયદીપ વિભાભાઈ, પ્રકાશ વિભાભાઈ, વિભાભાઈ હુંબલ, જીતેશ કાનાભાઈ હુંબલ, અશ્વિન ખેંગારભાઈ જરુ, આનંદ ખેંગારભાઈ જરુ, અરશી આહીર વિગેરે- ૧૦ શખ્સો ધરપકડ કરેલ હતી. મુદ્દામાલ હથીયારો કબ્જે કરી આરોપીઓની રીમાન્ડ મેળવી પુરતા પુરાવાઓ હોય જેલ હવાલે કરેલ હતા. ત્યારબાદ આરોપી વિરૂધ્ધ પુરતા પુરાવા હોય નામદાર જયુ. અદાલતમાં તમામ આરોપી અશ્વિન ખેંગારભાઈ જરુ, ઠે- મનહરપુર-૧, જામનગર રોડ, રાજકોટવાળાએ નામદાર સેશન્સ અદાલતમાં જામીન અરજી કરેલ અને જામીન અરજીમાં અશ્વિન જરુ તરફેએ રજુઆત કરેલ હતી કે ફરીયાદી દ્વારા આરોપીનું ખોટું નામ આપવામાં આવેલ છે. બનાવ સમયે આરોપી અન્ય જગ્યાએ હાજર રહેલ છે અને જે અંંગે અદાલતમાં તથા પોલીસ અધિકારીઓ સમક્ષ અલગથી રજુઆતો પણ કરેલ છે અને બનાવ સમયે હાજર ન હોવા છતા તેને ખોટી રીતે ફરીયાદ તથા ડી.ડી.માં નામ આપીને આખા પરીવારને સંડોવી દીધેલ છે અને ફરીયાદી વિરૂધ્ધ અનેક ગુન્હાઓ નોંધાયેલ છે અને હાલમાં પણ સામસામી ફરીયાદ નોંધાયેલ છે. આરોપીનો કોઈ ગુન્હાહીત ભુતકાળ નથી તથા આરોપી વિરૂધ્ધ પ્રથમ દર્શનીય રીતે પોલીસ તપાસના કાગળોમાં કોઈ પુરાવો મળી આવતો નથી તેવી ધારદાર રજુઆતો કરી આરોપીને જામીન ઉપર છોડવા માટેની વિનંતી કરેલ હતી.

ઉપરોકત સંજોગોમાં રાજકોટની સેશન્સ અદાલત દ્વારા બચાવપક્ષની રજુઆતો, પોલીસ તપાસના કાગળો અને કાયદાકીય પરિસ્થિતી ધ્યાને લઈ અરજદાર આરોપીને રૂ.૧૫,૦૦૦ના શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ છે.

આ કામમાં અશ્વિન ખેંગારભાઈ જરુ તરફે યુવા ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, કિરીટ બી.નકુમ, હેમાંશુ પારેખ, જયવિર બારૈયા, મીલન જોષી, દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, ખોડુભા સાકરીયા, કુલદીપસિંહ ચૌહાણ, જયપાલસિંહ સોલંકી એડવોકેટ તરીકે રોકાયેલ.

(11:14 am IST)