Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા કાલે અટલજીના જન્મ દિવસ નિમિતે ફ્રુટ વિતરણ અને નરેન્દ્રભાઇનું લાઇવ વકતવ્ય

રાજકોટ તા. ૨૪ : કાલે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીજીની જન્મ જયંતિની ઉજવણી સુશાસન દિવસ તરીકે કરાશે. ત્યારે રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા પણ કાલે જરૂરતમંદ દર્દીઓને ફ્રુટ વિતરણ કરાશે. તેમજ બપોરે ૧૨ વાગ્યે 'ખેડુતો માટે કૃષિ બીલનું મહત્વ' વિષે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વકતવ્યનું લાઇવ પ્રસારણ તાલુકાઓમાં મોટી સંખ્યામાં ખેડુતો અને પ્રજાજનો સાંભળી શકે તેવુ આયોજન કરાયુ હોવાનું જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઇ ખાચરીયા, જીલ્લા મહામંત્રી નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી, મનીષભાઇ ચાંગેલાની સંયુકત યાદીમાં જણાવાયુ છે.

મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપા સરકાર અંત્યોદયના લક્ષ્ય સાથે ગરીબો તેમજ ખેડુતો પ્રત્યે સમર્પિત છે.ભાજપાના સુશાસન થકી દેશનો પ્રત્યેક ખેડુત આજે વર્ષે ડબલ પાક લેતો થયો છે. જેના કારણે ખેડુત અને ખેતી સમૃધ્ધ બનેલ હોવાનું મનસુખભાઇ ખાચરીયાએ જણાવેલ છે.

જિલ્લા અને ઉપરના સ્તરની જવાબદારી ધરાવતા પાર્ટીના અને મોરચાના પદાધિકારી, બોર્ડ નિગમના ચેરમેન, વા.ચેરમેન, જિલ્લા સંકલન સમિતિ, જિલ્લા પ્રમુખ-પ્રભારી-હોદેદારો, જિલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રી, મંડલના પ્રમુખ -મહામંત્રી- પ્રભારી, મંડલના સંગઠન પર્વના ઇન્ચાર્જ, મંડલના મોરચા પ્રમુખ, તાલુકા પંચાયત અને નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, જિલ્લા પંચાયત સભ્ય, મંડલના આઇ.ટી. ઇન્ચાર્જ, જિલ્લા આઇ.ટી. ઇન્ચાર્જ અને આઇ.ટી. ટીમ, સીનીયર કાર્યકર્તા સહીત તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ ઉપરોકત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા શ્રી ખાચરીયા, શ્રી ચાવડા, શ્રી રામાણી, શ્રી ચાંગેલાએ અનુરોધ કરેલ છે.

(11:13 am IST)