Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

વાજપેયીજીનું સ્થાન અટલ - અમર છે અને રહેશે

અટલજીની ૯૫મી જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ રાજુભાઈ ધ્રુવ દ્વારા ભાવવંદના : ૧૯૭૭માં સંયુકત રાષ્ટ્રસંઘમાં હિન્દીમાં ભાષણ આપેલુ, તેઓ ન્યાય અપાવનારા જનનાયક હતા

રાજકોટ, તા. ૨૩ : ભારતીય લોકશાહી અને સંસદીય પ્રણાલિકા ના પૂજારી ,ભારતીય રાજનીતિના ધ્રુવતારક, જનનાયકની શ્રેણીમાં સ્થાન પામેલા અને ભારત વર્ષમાં કરોડો લોકોની લાગણી અને લોકચાહના જીતેલા પ્રખર વકતા, કવિ, પત્રકાર, રાજનેતા, દેશના ભુતપૂર્વ પ્રધાનમંત્રી, પદ્મવિભૂષણ તથા ભારતરત્નથી સમ્માનિત ઈ.સ. ૧૯૨૪ની ૨૫ ડિસેમ્બરના રોજ ગ્વાલિયરમાં (મધ્યપ્રદેશ) જન્મેલા વિકાસ પુરુષશ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતી નિમિત્ત્।ે ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, અટલ બિહારી વાજપેયી વિદ્યાર્થીકાળથી જ તેજસ્વી હતા, અભ્યાસમાં મોટેભાગે પહેલા-બીજા નંબરે જ આવતા હતા. ગ્વાલિયરમાં તેમણે કિશોરાવસ્થામાં આર્ય કુમાર સભા નામે ચળવળની શરૂઆત કરી દીધી હતી. તેઓ ૧૯૩૯માં બાબાસાહેબ આપ્ટેથી પ્રભાવિત થઈને સંઘમાં આવ્યા હતા. પત્રકારત્વમાં તેમને બહુ રસ હતો. એ રસ પોષવાનું કામ પંડિત દિનદયાલે કર્યું હતું. 'રાષ્ટ્રધર્મ' નામના અખબારનું કામ પંડિતજીએ વાજપેયીને સોંપ્યુ હતુ. એ પછી તેમણે' પાંચજન્ય', 'વીર અર્જૂન' અને 'સ્વદેશ' એમ વિવિધ અખબારોમાં કામ કર્યું હતુ. ભારતની ૧૯૫૭માં યોજાયેલી બીજી લોકસભા ચૂંટણી વખતે વાજપેયી મથુરા અને બલરામપુર એમ બે બેઠક પરથી તેઓ ચૂંટણી લડયા હતા. મથુરાની બેઠક તેમણે ગુમાવી હતી, બલરામપુરથી જીત્યા હતા. વાજપેયીજી પોતાની કારકિર્દી દરમિયાન કુલ મળીને ૪૭ વર્ષ સુધી સાંસદ રહ્યા હતા. વિવિધ સમયે તેઓ સંસદમાં ઉત્ત્।ર પ્રદેશ, દિલ્હી, મધ્યપ્રદેશ અને ગુજરાત એમ ચાર અલગ અલગ રાજયમાંથી ચૂંટાયા હતા. આવી સિદ્ઘિ મેળવનારા તેઓ એકમાત્ર નેતા છે. ૧૯૭૭માં સંયુકત રાષ્ટ્રસંઘમાં અટલજીએ હિન્દીમાં ભાષણ આપ્યુ હતુ. એ પહેલો પ્રસંગ હતો જયારે ભારતના કોઈ નેતાએ રાષ્ટ્રસંઘની સભામાં હિન્દી ભાષાનો પ્રયોગ કર્યો હતો. એ પછી તો ઘણા ભારતીય નેતાઓએ રાષ્ટ્રસંઘમાં હિન્દી ભાષા વાપરી છે. સંસદમાં હોય કે ચૂંટણીસભામાં હોય, અટલજીનું ભાષણ હંમેશા વિદ્વતાથી ભરપૂર રહેતું.

રાજુભાઈ ધ્રુવે વજણાવ્યું હતું કે, અટલ બિહારી વાજપેયી નામ સાંભળતા જ મનમાં જેમના માટે આદર થાય એવા કેટલાક રાજપુરુષો- મહાપુરુષો ભારતને મળ્યા છે, એમાં વાજપેયીજીનું સ્થાન અટલ-અમર છે. સત્ત્।ાનું રાજકારણ તો બધા જ કરે છે પરંતુ રાજકારણીમાં અને રાજપુરુષમાં ફરક એ છે કે રાજપુરુષો મર્યાદા-ગરિમા-શાલીનતા જાળવે છે. અટલબિહારી વાજપેયીજી તમામ પ્રકારે અન્યાય અટકાવનારા અને ન્યાય અપાવનારા જનનાયક હતા. સાવરકરજી વિશે એક અદભૂત વર્ણન અટલબિહારી વાજપેયીજીએ કર્યું છે. અટલજીએ કહ્યું હતું - સાવરકર એટલે તેજ, સાવરકર એટલે ત્યાગ, સાવરકર એટલે તપ, સાવરકર એટલે તત્ત્વ, સાવરકર એટલે તર્ક, સાવરકર એટલે તારુણ્ય, સાવરકર એટલે તીર, સાવરકર અર્થાત્ તલવાર. કેટલું સચોટ ચિત્રણ કર્યું હતું અટલજીએ. અટલજી એક હાથ માં કવિતા અને બીજા હાથમાં ક્રાંતિ બંનેને સાથે લઈ રાષ્ટ્રસેવા ના કાંટાળા રાજમાર્ગે ચાલ્યા. સંવેદનશીલ કવિ હોવાની સાથોસાથ તેઓ સાહસિક ક્રાંતિકારી પણ હતા. પોતાના સમગ્ર જીવનમાં તેમણે માત્ર એક સારા રાજકીય નેતા તરીકે જ નહીં પરંતુ એક સારા કવિ તરીકે પણ ખૂબ મોટી પ્રસિદ્ઘિ મેળવેલી. એક શાનદાર વકતા સ્વરૂપે અટલજીએ અઢળક લોકોના મન જીત્યા છે. દસ વખત લોકસભામાં અને બે વખત રાજયસભામા ચૂંટાઈ આવેલા વાજપેયીજી રાજકારણી કરતાં રાજનીતિજ્ઞ રાજપુરુષ તરીકે વધુ જાણીતા હતા. તમામ રાજકીય પક્ષોથી લઈ રાષ્ટ્રભરમાં તેઓ ખૂબ જ આદરણીય સંસદસભ્ય તરીકે પ્રખ્યાત હતા.

અટલજી સાથે રાજકોટથી લઈ દિલ્હી સુધીની ઘણી બધી યાદો આજે સ્મૃતિપટ પર તરવરી રહી છે. જયારે જયારે તેઓએ રાજકોટની મુલાકાત લીધી ત્યારે તેમની વિનમ્રતા, સાલસતા અને મહાનતાનો અત્યંત નિકટથી પરિચય મેળવવાનો લ્હાવો મળ્યો છે. આજે તેમનાં જન્મદિવસે જયારે સમગ્ર દેશમાં સુશાસન દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણા માટે ગૌરવની વાત છે. અલબત્ત્। રાજયની રૂપાણી સરકાર ગુજરાત સરકારે ૨૫મી ડિસેમ્બરે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની વર્ષગાંઠ ગુડ ગવર્નન્સના રૂપમાં ઊજવતાં રાજયભરમાં કુલ ૯ સ્થળે કિસાન સંમેલનો યોજવાનું નક્કી કર્યું છે. અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતી નિમિત્ત્।ે સુશાસન દિવસ પર રાજયમાં કૃષિ સંમેલન થવા એ અટલજીનાં આત્મા સહિત સૌને આનંદ અપાવનારી વાત છે. અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતી - સુશાસન દિવસ નિમિત્ત્।ે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજયમાં ૯ કૃષિ સંમેલન યોજવાનું કાર્ય કાબિલેદાદ છે.

(3:58 pm IST)