Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

રોહીદાસપરા વિસ્તારમાં વોંકળાનું કામ પૂર્ણ કરોઃ રજૂઆત

રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડીયા દ્વારા મ્યુ. કમિશ્નરને પત્ર પાઠવ્યો

રાજકોટ, તા. ૨૪ :. શહેરના વોર્ડ નં. ૪ ના રોહીદાસપરા વિસ્તારમાં વોંકળા અને પૂલનું કામ છેલ્લા ૧ વર્ષથી બંધ હોય ત્યારે આ અંગે યોગ્ય કરવા રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડીયા દ્વારા મ્યુ. કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે.

આ અંગે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાએ પાઠવેલ પત્રમાં જણાવ્યુ હતુ કે શહેરના વિસ્તારમાં આવેલ વોંકળા પરનો પુલ તેમજ દિવાલો તુટી ગયેલ છે. તે અંગેનું કામ તંત્ર દ્વારા ચાલુ કરાવવામાં આવેલ હતુ પરંતુ તે કામ કોઇ કારણસર છેલ્લા એક વર્ષથી બંધ છે. તે કારણે વોંકળાનું ગંદુ પાણી ઉભરાયને આજુબાજુના વિસ્તારોમાં જાય છે. અને અસહય ગંદકી ફેલાય છે. તેમજ ત્યાં કોઇ ડાયર્વન રસ્તો પણ બનાવવામાં આવેલ નથી તેથી પરાણે તે વોંકળામાં ગંદા પાણીમાં થઇને જ ચાલવુ પડે છે, અને રાત્રીના સમયે આજુ બાજુ લાઇટ ન હોવાથી વિસ્તારીવાસીઓ હેરાન પરેશાન થઇ રહ્યા છે. આ સમસ્યા તાત્કાલીક ઉકેલવા માંગ કરવામાં આવી છે.

(3:46 pm IST)