Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

વોર્ડ નં. ૧૧માં કોંગ્રેસનું જનજાગરણ - સભ્ય નોંધણી અભિયાન : મોંઘવારી સામે અવાજ ઉઠાવવા આહ્વાન

રાજકોટ તા. ૨૪ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાની સુચના અનુસાર રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ વોર્ડ નં.૧૧ માં સભ્ય નોંધણી અને જન જાગરણ અભિયાન અંતર્ગત શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી અશોકભાઈ ડાંગર અને પ્રદીપભાઈ ત્રિવેદી દ્વારા બુથમાં જઈ ને સભ્ય નોંધણી કરવામાં આવેલ હતી તેમજ પેટ્રોલ, ડીઝલ, ગેસ, ખાદ્યતેલ જેવી જીવન જરૂરી ચીજવસ્તુના ભાવમાં અસહ્ય વધારા અંગે પત્રિકા વિતરણ કરી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. પ્રજામાં ભાજપ સરકાર પ્રત્યે ભારે આક્રોશ, હોઇ દરેક વર્ગના લોકોનું કોંગ્રેસ પક્ષના અભિયાનને સમર્થન મળ્યું હતું.  આ સભ્ય નોંધણી અને જન જાગરણ અભિયાન માં શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી અશોકભાઈ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, રાજકોટ મનપાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી જસવંતસિંહ ભટ્ટી, પ્રભારી સુરેશભાઈ બથવાર, ભાર્ગવભાઈ પઢીયાર, વોર્ડ પ્રમુખ કેતનભાઈ તાળા, પ્રકાશભાઈ વેજપરા, દીપભાઈ ભંડેરી, મથુરભાઈ માલવી, અશ્વિનભાઈ ભટ્ટી, નીરૂભાઈ બોરીચા, હરેશભાઈ પાંભર, હરસુખભાઈ બુશા, પૂજન પટેલ, હરેશભાઈ હીરપરા, જેન્તીભાઈ સોરઠીયા, મોહિલ વિકાણી, ધવલ પાંભર વિપુલભાઈ તારપરા, નાગજીભાઈ વિરાણી, વિપુલભાઈ વિસપરા, લાખાભાઈ ઉંધાડ મહેશભાઈ વેજપરા અને રોહિતભાઈ માલા સહિતના આગેવાનો કાર્યકરો જોડાયા હતા. તેમ કોંગી આગેવાન ગોપાલ મોરવાડિયાની યાદીમાં જણાવાયું છે.

(3:23 pm IST)