Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

પરાપીપળીયામાં ૧૮ વર્ષના રાહુલ ચાવડાએ ગળાફાંસો ખાઇ જિંદગીથી છેડો ફાડ્યો

ગાંધીગ્રામમાં પિતા સાથે દૂધની દૂકાને બેસતો હતોઃ પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૨૪: જામનગર રોડ પર પરાપીપળીયામાં રહેતાં રાહુલ મનુભાઇ ચાવડા (આહિર) (ઉ.વ.૧૮) નામના યુવાને ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

રાહુલે બપોર બાદ ઘરના રામમંદિરે કાર્યક્રમ હોઇ ત્યાં ગયા હતાં ત્યારે આ પગલુ ભરી લીધુ હતું. ચારેક વાગ્યે સ્વજનો જાગ્યા ત્યારે રાહુલ લટકતો મળતાં ૧૦૮ બોલાવાઇ હતી. તેને બેભાન હાલતમાં નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. તે બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો. તેના પિતા મનુભાઇ ચાવડાને ગાંધીગ્રામ લાભદિપ સોસાયટીમાં દૂધને ડેરી છે. પોતે પણ પિતા સાથે ડેરીએ બેસતો હતો. ખેતી પણ આ પરિવાર ધરાવે છે.  બનાવની જાણ થતાં ગાંધીગ્રામના પીએસઆઇ પી. એમ. અકવાલીયા અને મહેશભાઇ કછોટે હોસ્પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી. કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.

(2:35 pm IST)