Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

જયાબેન દવે, અરવિંદભાઈ વૈદને ભજનોની શ્રધ્ધાંજલી

રાજકોટઃ શ્રી પુનિત સદ્દગુરૂ ભજન મંડળ દ્વારા સ્વ.જયાબેન દવેની વાર્ષિકતિથિ નિમીતે તથા લંડનવાળા સ્વ.અરવિંદભાઈ વૈદનું તા.૨૧ના અવસાન થતા સંતપુનિતના ભજનો દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ કરી જય શ્રીકૃષ્ણ બોલાવવાનો પુનિત કાર્યક્રમ યોજાયેલ. જેમાં જયશ્રીબેન, જયેશભાઈ, પૂર્વીબેન, પુનિતભાઈ, મેઘાબેન, હેનિતભાઈ નથવાણી, ઉપરાંત ભાવનાબેન રૂપારેલીયા (લંડન), ભાવનાબેન કારેલીયા, ગુણવંતભાઈ ઠકકર (અમદાવાદ), જયપ્રકાશ બુધ્ધદેવ, જીતુભાઈ દવે (એડવોકેટ), સંગીતાબેન શૈલેષભાઈ સુચક, કાશ્મીરાબેન પી.મોદી, વિજયભાઈ રાચ્છ (ગાંધીનગર), બાબુભાઈ પેંડાવાળા, ઉર્મીલાબેન કાગડા, કિશોરભાઈ કરથીયા (તબલ્ચી), દમયંતીબેન, એન.સી.પોપટ (બલદેવ ટ્રાવેલ્સ વાળા) તથા કથાકાર સંજયભાઈ ડી.ભટ્ટનો સહયોગ પ્રાપ્ત થયેલ.(૩૦.૯)

(2:34 pm IST)