Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

જગતના દરેક જીવો ઉપર દયા, કરૂણા અને અનુકંપાના ભાવ રાખજોઃ પૂ.હીરાબાઈ મ.સ.

પૂ.સ્મિાતાજી મ.સ.ના જન્મોત્સવ અવસરે નેમીનાથ સંઘ દ્વારા ૧૦૦ કુકડાઓને અભયદાન

રાજકોટ,તા.૨૪: ગોં.સં.ના શાસન ચંદ્રિકા ગુરૂણી મૈયા પૂ.હીરાબાઈ મ.સ.ના સુશિષ્યા તપસ્વી રત્ના પૂ.સ્મિતાજી મ.સ.ના જન્મોત્સવ અવસરે રાજકોટ નેમિનાથ - વીતરાગ સંઘે ૧૦૦ કુકડાઓને અભયદાન આપ્યું હતું.

તાજેતરમાં દશેરાના દિવસે પૂ.સ્મિતાજી મ.સ.નો જન્મોત્સવ માનવતાલક્ષી સદ્દકાર્યો સાથે તપ - ત્યાગપૂર્વક નેમિનાથ - વીતરાગ સંઘમાં ઉજવવામાં આવેલ. બે દિવસ પૂર્વે ૨૫ અબોલ જીવોને અભયદાન આપેલ.

આજરોજ તા.૨૪ના રોજ જીવદયા પ્રેમીઓએ ૧૦૦ કૂકડાઓને જીવતદાન આપ્યું.આ જીવોને જયારે પાંજરાપોળના પટાંગણમાં છૂટા મૂકવામાં આવ્યા ત્યારે વાતાવરણ નયન રમ્ય બની ગયેલ. નિભાવ ખર્ચ પેટે રાજકોટ મહાજન પાંજરાપોળને ચેક અર્પણ કરવામાં આવેલ તેમ ભરતભાઈ દોશીએ જણાવ્યું છે.

(3:32 pm IST)