Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

કચ્છના ભચાઉમાં કાલથી કલ્કી પુરાણ આધારીત હવે તો આવ ગોવિંદ, કલિયુગમાં કથાનો પ્રારંભ

અંજારના કથાકાર પૂ.સ્મિત શાસ્ત્રી (ઓમ મહારાજ) કથાનું રસપાન કરાવશે

રાજકોટ તા.૨૪: જન જાગૃતિ ફાઉન્ડેશન (ચેરીટેબલ ટ્રસ્ટ) અંજાર દ્વારા કચ્છના ભચાઉમાં શ્રી મંગલેશ્વર મહાદેવ દેવાલય મંદિર ખાતે તા. રપને ગુરૂવારથી તા. ૩૧ ને બુધવાર સુધી કલ્કી પુરાણ આધારીત ''હવે તો આવ ગોવિંદા કલિયુગમાં'' કથાનું આયોજન કરાયું છે. જેના વ્યાસાસને અંજારનાં વકતા પૂ. સ્મિત શાસ્ત્રી (ઓમ મહારાજ) બિરાજીને કથાનું રસપાન કરાવશે.

કચ્છના ભચાઉમાં શ્રી મંગલેશ્વર મહાદેવ દેવાલયની બાજુમાં જય માતાજી ચોક ખાતે દરરોજ બપોરે રઃ૧૫થી ૬ સુધી કથાકાર પૂ. સ્મિત શાસ્ત્રી (ઓમ મહારાજ) કથાનું રસપાન કરાવશે.

તા. રપને ગુરૂવારે બપોરે ૧ વાગ્યેે શ્રી હાટકેશ્વરર મહાદેવ મંદિરથી કથા સ્થળ સુધી પોથીયાત્રાનું આયોજન કરાયું છે.

કથામાં પૂ. નિર્ર્મોહી પીઠાધીશ્વર અનંત વિભુષિત શ્રી શ્રી, ૧૦૦૮ મહામંડલેશ્વર, શ્રી કનીરામબાપુ, વડવાળા મંદિર દૂધરેજ, મહંતશ્રી અશ્વિન જાની હરસિધ્ધી શકિતપીઠ-લાડોલ, (ગુજરાત) યોગેશગીરી ધીરજગીરી ગુસાઇ ચામુંડા માતાજી મંદિર ચોટીલા (ગુજરાત), બળદેવગીરી વનરાજગીરી ગુસાઇ ચામુંડા માતાજી મંદિર ચોટીલા (ગુજરાત), વાસણભાઇ ગોપાલભાઇ આહિર રાજયકક્ષાના મંત્રી, સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ ગુજરાત રાજય, વિનોદભાઇ ચાવડા સાંસદ, કચ્છ-ગુજરાત, વિરેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્યશ્રી, માંડવી-કચ્છ, કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ ભચાઉ નગરપાલીકા, રાજેશ વિઠ્ઠલદાસ ઠકકર પ્રમુખ અંજાર નગરપાલિકા ઉપસ્થિત રહેશે.કથા અંગેની વધુ વિગત માટે જન જાગૃતિ ફાઉન્ડેશન (ચેરીટેબલ ટ્રસ્ટ) અંજાર મો.નં. ૯૮ર૪ર ર૪૭૭૩ મો.નં. ૯૮રપ૮ ૦૪૪૦૪ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.(૧.૩૦)

 

(3:52 pm IST)