Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

ભાજપ દ્વારા તમામ બુથમાં નરેન્દ્રભાઇ મોદીને અભિનંદન આપતા ૫૦ હજાર પોસ્ટકાર્ડ લખાશે

રાજકોટ,તા.૨૪: શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્વસિંહ ઠાકુરની સંયુકત યાદીમાં જણાવાયુ છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્વભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્વ સરકારને સાત વર્ષ પૂર્ણ થયા છે તેમજ સતત ર૦ વર્ષથી વહીવટી નેતૃત્વ કરી ગુજરાત અને દેશને એક નવી દિશા આપી છે ત્યારે દેશના વડાપ્રધાન તરીકે ધુરા સંભાળ્યા બાદ અનેકવિધ દેશહિતના નિર્ણયો કરી લોકોને સીધો જ લાભ મળ્યો છે તેમજ દેશની વિકાસયાત્રાને એક નવી જ ઉંચાઈ પર લઈ જવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્વભાઈ મોદી કૃતનિશ્ચયી છે.

દેશની સામાન્ય પ્રજાની સુખ–સુવિધાઓ વધારવા બદલ દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને તેમણે લીધેલા અનેકાનેક દેશહીત, લોકહિતના નિર્ણયોને અભિનંદન આપતા પ૦ હજાર પોસ્ટકાર્ડ આવતીકાલે તા.રપ અને તા. ૨૬ના  શહેર ભાજપ દ્વારા શહેરના તમામ બુથો, શકિતકેન્દ્વો, મોરચાઓ દ્વારા  લખાશે.

પોસ્ટકાર્ડ ઝુંબેશમાં તમામ શ્રેણીના કાર્યકર્તાઓ જોડાઈ અભિનંદન આપતા પોસ્ટકાર્ડો એકસાથે લખાશે. એમ અંતમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે જણાવેલ છે. 

(3:10 pm IST)