Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

રાજકોટની સગીરાને જસદણના ગોખલાણાનો નરેશ ઉર્ફે અરમાન વાઘેલા ભગાડી ગયો

રાજકોટ તા. ર૪: ન્યુ ખોડીયારનગર વિસ્તારમાં રહેતી સગીરાને જસદણના ગોખલાણાનો શખ્સ ભગાડી જતા ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ શહેરના ન્યુ ખોડીયારનગર વિસ્તારમાં મોટા ભાઇના ઘરે રહેતી ૧૭ વર્ષની સગીરા ગત તા. ૧૮/૭ના રોજ ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ સગીરાની શોધખોળ આદરી હતી. તપાસ કરતા પાંચ વર્ષ પહેલા સગીરાના ભાઇ સાથે રાજકોટમાં રહેતો નરેશ ઉર્ફે અરમાન ધીરૂભાઇ વાઘેલા (રહે. ગોખલાણા) તા. જસદણ હાલ ઉગામેડી ગામ તા. ગઢડા સગીરાને લલચાવી ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયો હોવાનું જાણવા મળતા સગીરાના પરિવારજનોએ પોલીસને જાણ કરતા ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી. કે. ગઢવી તથા રાઇટર નિલેષભાઇ મકવાણા તથા ઘનશ્યામભાઇએ તપાસ હાથ ધરી છે.

(3:29 pm IST)