Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

મુખ્યમંત્રીના નિવાસસ્થાનવાળી પ્રકાશ સોસાયટીમાં કોરોના કેસ આવતા કન્ટેન્ટમેન્ટ ઝોનની તજવીજ

આ સોસાયટીમાં રહેતા વિજ કંપનીમાં ડે. ઇજનેર શ્રી ભટ્ટ કોરોના પોઝીટીવ જાહેર થયા છે

રાજકોટ, તા., ર૪: શહેરમાં કોરોનાનો કહેર વધી રહયો છે. ત્યારે હવે રાજયનાં મુખ્યમંત્રીના નિવાસસ્થાન પાસે કોરોનાં પહોંચી જતા આ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવા તંત્રએ તજવીજ શરૂ કર્યાનું જાણવા મળ્યું છે.

આ અંગે પ્રાપ્ત માહીતી મુજબ વિજ કંપનીનાં ડે. ઇજનેર શ્રી ભટ્ટ કોરોના પોઝીટીવ આવતા તેઓ જયા રહે છે તે નિર્મલા રોડ પરની પ્રકાશ સોસાયટીમાં રહેતા લોકોને હોમ કોરોન્ટાઇન કરી અને કન્ટેન્ટમેન્ટ ઝોન કરવા તજવીજ હાથ ધરાઇ છે.

નોંધનીય છે કે આજ પ્રકાશ સોસાયટીમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનું નિવાસસ્થાન આવેલું છે. આમ રાજયના મુખ્યમંત્રીનાં નિવાસસ્થાન વાળા વિસ્તારમાં આ પ્રકારે માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન આમ કોઇ મુખ્યમંત્રીનાં નિવાસસ્થાન પાસે કોરોના પહોંચ્યો હોય તેવી આ સંભવત આ પ્રથમ ઘટના છે.

(3:00 pm IST)