Gujarati News

Gujarati News

News of Sunday, 24th May 2020

રાજકોટમાં વધુ 11 કોરોના પોઝિટિવ દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા

અત્યાર સુધીમાં કુલ 73 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ ; હવે માત્ર 5 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ : રાજકોટમાં કોરોનાના વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે રાજકોટ મહાનગરપાલિકાની યાદી મુજબ આજે વધુ ૧૧ કોરોના પોઝિટિવ દર્દીઓ સહિત આજદિન સુધીમાં ૭૩ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયા છે અને હવે માત્ર ૦૫ દર્દીઓ  હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

  રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આજદિન સુધીમાં કુલ ૭૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી ૬૨ વ્યક્તિઓને અગાઉ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવેલ છે જ્યારે આજે વધુ ૧૧ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ૫ કોરોના પોઝિટિવ વ્યક્તિઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

(6:23 pm IST)