Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

ચુંવાળીયા કોળી કર્મચારી મંડળ દ્વારા જુનમાં યુવક યુવતી પરીચય મેળો

રાજકોટ તા. ૨૪ : ચુંવાળીયા કોળી કર્મચારી મંડળ દ્વારા આગામી તા. ૧૬ જુનના યુવક યુવતિ પરીચય મેળો યોજવામાં આવેલ છે.

'અકિલા' ખાતે વિગતો વર્ણવતા મંડળના આયોજકોએ જણાવેલ કે ચુંવાળીયા કોળી જ્ઞાતિના લગ્નોત્સુક યુવક યુવતીઓને યોગ્ય પાત્ર મળી રહે તે હેતુથી પરીચય મેળાનું આયોજન તા. ૧૬ જુનના કરેલ છે.

આ માટેના ફોર્મ મેળવવા છોટુભાઇ આર. પરસોંડા મો.૯૮૨૫૭ ૬૪૪૯૦, અશોકભાઇ એલ. રાઠોડ મો.૮૨૩૮૮ ૯૭૪૯૨, હિતેશભાઇ ગુર્જરવાડીયા મો.૯૮૨૫૧ ૧૪૧૭૮, વિજયભાઇ વાઘેલા મો.૯૪૨૮૨ ૦૪૮૦૩, પરસોતમભાઇ દાળોદ્રા મો.૯૯૨૫૧ ૨૭૨૨૭, દશરથભાઇ મો.૯૪૨૮૨ ૫૩૬૭૨, જેરામભાઇ વિરસોડીયા મો.૯૯૦૪૨ ૩૯૩૯૦, નીરજભાઇ સોલંકી મો.૮૮૬૬૭ ૦૭૦૦૯ નો સંપર્ક કરવા જણાવાયુ છે.

વિગતો ભરેલા ફોર્મ તા. ૩૧ મે સુધીમાં પરત કરવાના રહેશે. ધો.૮ પાસથી લઇને ઉચ્ચ અભ્યાસ કરનાર યુવક યુવતિ ભાગ લઇ શકશે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ચુંવાળીયા કોળી સમાજ ગુજરાતના મહામંત્રી છોટુભાઇ આર. પરસોંડા, મદદનીશ શિક્ષક દશરથભાઇ એન. દાસ, બી.એસ.એન.એલ.ના રાજુભાઇ વાઘેલા નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(3:57 pm IST)