Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

સંબીત પાત્રા અને ચારણ સમાજ વચ્ચે સર્જાયેલ ગેરસમજ દુર કરાવતા રાજુ ધ્રુવ

રાજકોટ તા. ૨૪ : દિલ્હી ભાજપ પ્રવકતા સંબીત પાત્રાએ એક ટીવી ચેનલ પર ડીબેટ દરમિયાન ચારણ શબ્દના ઉલ્લેખ સાથે કરેલ ઉચ્ચારણોને લઇને ગુજરાત રાજસ્થાનના ચારણ સમાજમાં ભારે નારાજગી પ્રવર્તી હતી.

આ અંગે અખિલ ભારત ચારણ મહાસભાના ઉપાધ્યક્ષ અશોભાઇ ગઢવીએ ભાજપના સૌરાષ્ટ્રના પ્રવકતા રાજુભાઇ ધ્રુવનું ધ્યાન દોરતા રાજુભાઇએ શ્રી સંબીત પાત્રાનો સંપર્ક કરી ચારણ સમાજમાં ફેલાયેલ નારાજગી તેમના ધ્યાન પર મુકી હતી.

જેના પ્રત્યુતરમાં સંબીત પાત્રાજીએ જાણ્યે અજાણયે ચારણ સમાજની લાગણી દુભાઇ હોય તો દીલગીરી વ્યકત કરેલ અને ચારણ મહાસભાના ઉપાધ્યક્ષ અશોકભાઇ ગઢવી સાથે આ બાબતે ચર્ચા કરતા ગેરસમજ દુર થઇ હતી. અશોકભાઇ ગઢવીએ પણ ચારણ મહાસભાના મોભીઓને આ બાબતે માહીતગાર કરતા આ મુદ્દો અહીં પૂર્ણ કરવા નિર્ણય જાહેર કરાયો હતો.

(3:59 pm IST)