Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

મોરબી રોડ, કાલાવડ રોડ અને શહેરી વિસ્તારોમાં પોલીસ કમિશ્નર અગ્રવાલનું પેટ્રોલીંગ

રાજકોટઃ આજે જંગલેશ્વરમાંથી કફર્યુ હટાવી લેવાયો છે પરંતુ લોકડાઉનનો શહેરભરમાં ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સતત ચોકન્ના રહયા હતા. ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ ગઢવી અને પીએસઆઇ અતુલ સોનારાની ટીમ સાથે પોલીસ કમિશ્નર કચેરીથી નીકળી હોસ્પીટલ ચોક, મોરબી રોડ, પેડક રોડથી શહેરી વિસ્તારો વચ્ચે થઇ કાલાવડ રોડ, કેકેવી ચોક સુધીના તમામ ચેકીંગ પોઇન્ટ સતત એક કલાક પેટ્રોલીંગ કરી આવરી લેવાયા હતા. બંદોબસ્તમાં રહેલા અધિકારીઓ અને કર્મચારીઓને લોકડાઉનનો ભંગ કોઇ પણ કાળે નહિ સાંખી લેવાય સુચના આપવામાં આવી હતી. (ફોટોઃ સંદીપ બગથરીયા)

(3:48 pm IST)