Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

બસ આ રીતે જ નિયમોનું ચુસ્ત પાલન કરશો તો કોરોનાને જરૂર હરાવશો... જંગલેશ્વરના છે આ દ્રશ્યો

કોરોનાની મહામારી સામે સોૈ કોઇ હવે જાગૃત બન્યા છે. જંગલેશ્વરમાં કોરોનાના સોૈથી વધુ દર્દીઓ સામે આવ્યા હોઇ અહિ કર્ફયુ મુકવો પડ્યો હતો. પરંતુ આજે કર્ફયુ ઉઠાવી લેવાયો છે. જો કે આમ છતાં લોકોએ બહાર નીકળી પડવાનું મોટે ભાગે ટાળ્યું છે અને સ્વયંભુ કર્ફયુનો અમલ કરી રહ્યા છે. જે લોકોને શાકભાજી સહિતની ચીજવસ્તુઓ લેવાની હતી એ ઘરોની મહિલાઓ પ્લાસ્ટીકની ડોલ સાથે બહાર આવી હતી અને શેરીના નાકે કે જ્યાં પતરા ફીટ કરી શેરી બંધ કરાઇ છે ત્યાં ઉભેલા બકાલી પાસેથી શાકભાજી લીધા હતાં. અહિ કતારમાં સોશિયલ ડિસ્ટન્સને ખાસ મહત્વ અપાયું હતું. અહિના લોકો મહામારી સામે હવે જાતે જ જાગૃત બની ગયા છે. જો આ રીતે જ નિયમોનું સોૈ કોઇ પાલન કરશે તો બહુ ઝડપથી કોરોનાને આ વિસ્તારમાંથી ભગાડવામાં સફળતા મળશે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:40 pm IST)