Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

વણકર વૃધ્ધ અને વાળંદ મહિલાના બેભાન હાલતમાં મોત

રૈયાધારના પાંચાભાઇ ચોૈહાણ અને સાધુ વાસવાણી રોડ કવાર્ટરના કિરણબેન હિરાણીએ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૪: બેભાન હાલતમાં રૈયાના વૃધ્ધ અને સાધુ વાસવાણી રોડ કવાર્ટરના મહિલાના મોત નિપજ્યા હતાં. રૈયાધાર ઇન્દિરાનગરમાં રહેતાં પાંચાભાઇ મુળાભાઇ ચોૈહાણ (ઉ.વ.૬૦) નામના વૃધ્ધને પેરેલિસિસ એટેક આવ્યા બાદ બિમાર રહેતાં હોઇ ગઇકાલે સાંજે સાડા આઠેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં એ.ડી. નોંધી કાર્યવાહી કરાઇ હતી. મૃતકને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે.

બીજા બનાવમાં સાધુ વાસવાણી રોડ આરએમસી આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં કિરણબેન ધર્મેશભાઇ હિરાણી (ઉ.૪૦) નામના વાળંદ મહિલાને બે ત્રણ દિવસથી પેટમાં દુઃખતું હોઇ અને ડાયાબિટીશની બિમારી હોઇ ગત રાત્રે અગિયારેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતકના પતિ વાળંદ કામ કરે છે. સંતાનમાં એક પુત્રી છે. યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(1:05 pm IST)