રાજકોટ તા. ૨૪ : આવતીકાલે પરશુરામ જન્મ જયંતિ હોય સૌરાષ્ટ્ર કચ્છમાં ભુદેવો અને પરશુરામ ભકતોએ પોત પોતાના ઘરમાં જ રહીને ભાવ સભર ઉજવણી કરવા સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનોએ અપીલ કરી છે.
સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બહ્મસમાજના માર્ગદર્શક અને પરશુરામ યુવા સંસ્થાનના આદ્યસ્થાપક અભયભાઇ ભારદ્વાજ, સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ છેલભાઇ જોષી, પ્રવકતા જયંતભાઇ ઠાકર, મીડીયા ઇન્ચાર્જ હરેશભાઇ જોષીએ સંયુકત યાદીમાં જણાવેલ છે કે જગતના આરાધ્ય દેવ વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતર એવા પરશુરામજીની જન્મ જયંતિની દર વર્ષે ધામેધુમે ઉજવણી કરવામાં આવે છે. પુજન અર્ચન શોભાયાત્રા સહીતના કાર્યક્રમો થાય છે.
પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણની પરિસ્થિતી ધ્યાને લેતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કરેલ અપીલને માન આપી સૌ કોઇ ઘરે ઘરે જ પરશુરામ ભગવાનનું પૂજન અર્ચન કરી સંયમપૂર્ણ ઉજવણી કરે તેવી વિનંતી છે.
યાદીમાં વધુમાં જણાવેલ છે કે કાલે તા. ૨૫ ના શનિવારે ભગવાન પરશુરામજીનું ઘરે ઘરે સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવી પૂજા પાઠ કરીશું. તેમજ સોશ્યલ મીડીયાના માધ્યમથી પ્રચાર પ્રસાર અને સાંજે ઘરની બાલ્કનીમાં કે અગાસી પર દીપ પ્રગટાવી કે ઘંટારવ કરીને આ ઉજવણીને યાદગાર બનાવીશુ.
રાજકોટ સમસ્ત બ્રહ્મસમાજ જિલ્લા પ્રમુખ પંકજભાઇ રાવલ, ઉપલેટા બ્રહ્મસમાજ અગ્રણી જયેશભાઇ ત્રિવેદી, જેતપુર પરશુરામ સેનાના હિતેષભાઇ જોષી, અશોક ઠાકર, અલ્પેશભાઇ વ્યાસ, ગોંડલ બ્રહ્મસમાજ અગ્રણી જીતુભાઇ આચાર્ય, વડીયા બ્રહ્મસમાજ અગ્રણી અશ્વિનભાઇ મહેતા, પ્રાચી બહ્મસમાજના પ્રમુખ ગીરીશભાઇ પંડયા, પ્રવિણભાઇ જોષી, વાંકાનેર બ્રહ્મસમાજ અગ્રણી અમિતભાઇ મઢવી, મોરબી બ્રહ્મસમાજ અગ્રણી ભુપતભાઇ પંડયા, જામનગર બ્રહ્મસમાજ અગ્રણી ત્રિવેદીભાઇ, જુનાગઢ બ્રમસમાજ મહિલા પાંખ અગ્રણી કનકબેન વ્યાસ, મનીષાબેન દવે, કોડીનાર બ્રહ્મસમાજ અગ્રણી સંજયભાઇ જોષી, વેરાવળ બ્રહ્મસમાજ અગ્રણી મિલનભાઇ જોષી, અમરેલી બ્રહ્મસમાજ અગ્રણી ઉદયનભાઇ ત્રિવેદી, રશ્મિનભાઇ ત્રિવેદી, દાડીયા ગામના દાળેશ્વર ટ્રસ્ટના પ્રમુખ અનંતભાઇ ભટ્ટ સહીતના બ્રહ્મસમાજ અગ્રણીઓએ આપીલ કરી સૌને પરશુરામ જયંતિની શુભેચ્છા પાઠવી છે.
પરશુરામ જયંતિની શુભેચ્છા પાઠવતી શહેર ભાજપ ટીમ
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે સમસ્ત જગતના આરાધ્ય દેવ અને બ્રાહ્મણોના ઇષ્ટદેવ ભગવાન શ્રી પરશુરામજીની જન્મ જયંતિ નિમિતે સૌને શુભેચ્છા પાઠવી છે. અખાત્રીજ-અક્ષય તૃતિયાનો દિવસ શુભ માનવામાં આવે છે. ત્યારે આ અવસરે સૌને સુખ અને સારૂ આરોગ્ય પ્રદાન થાય તેવી પ્રાર્થના કરી છે.
બ્રહ્મદેવ સમાજ
બ્રહ્મણોના આરાધ્ય દેવ શ્રી પરશુરામ દાદાનો કાલે જન્મોત્સવ હોય તમામ બ્રાહ્મણ પરિવારોએ ઘરે ઘરે દિપ પ્રાગટય કરી પૂજા આરતી કરવા બ્રહ્મદેવ સમાજના મિલનભાઇ શુકલે અપીલ કરી છે. તેમજ કાલે વેદમાતા ગાયત્રીધામ કાલાવડ રોડ, પરશુરામ મંદિરથી સાંજે ૮ વાગ્યે ઓનલાઇન દર્શન ખુલ્લા મુકાશે. લીંક પર કિલક કરીને દર્શન આરતીનો લાભ લઇ શકાશે. તેમ મિલનભાઇ શુકલ (મો.૯૭૨૪૨ ૦૦૦૦૧)એ જણાવેલ છે.