Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

રાજકોટવાસીઓને રાહત : આજીડેમ બાદ ન્યારી ડેમની સપાટીમાં વધારો: બંને ડેમ થશે છલોછલ

સૌની યોજના મારફત બે ડેમો ભરાઈ છે : આજીડેમની સપાટી 27 ફૂટ અને ન્યારી ડેમની સપાટી 18 ફૂટ પર પહોંચી

રાજકોટવાસીઓ માટે સારા સમાચાર મળી રહ્યાં છે રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ અને ન્યારી ડેમની જળસપાટીમાં વધારો થયો છે રાજકોટના આજીડેમ બાદ ન્યારી ડેમની સપાટીમાં વધારો થયો છે હાલમાં  સૌની યોજના મારફત હાલ રાજકોટના બન્ને ડેમો ભરવામાં આવી રહ્યાં છે
હાલ આજીડેમની સપાટી 29 ફૂટ માંથી 27 ફૂટ પર પહોંચી છે આજીડેમ બાદ ન્યારી ડેમની સપાટી 25 ફૂટ માંથી 18 ફૂટ પર પહોંચી છે અને ટૂંક સમયમાં જ રાજકોટના બને ડેમો પાણીથી છલોછલ થઇ જશે જેના પગલે આ વર્ષે રાજકોટવાસીઓને ઉનાળામાં પાણીની સમસ્યા ભોગવી પડશે નહીં

(9:44 pm IST)