Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિ તેમજ રાણસીકી ગામનું ગૌરવ ડો. હરિજ્ઞા દવે

અશ્વિની આયુર્વેદિક મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્‍ટર - કર્ણાટક'ની બી. એ. એમ. એસ. ની પદવી પ્રાપ્‍ત કરી

રાજકોટ તા.૨૪ : મૂળ વતન રાણસીકી અને હાલ રાજકોટના સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિ પરિવારના મહેશકુમાર જગજીવનભાઇ દવે તેમજ દક્ષાબેન મહેશકુમાર દવેની પુત્રી તેમજ એન્‍જિનિયર ઓમકાર મહેશકુમાર દવે તેમજ ડો. વિભૂતિબેન પુનિત દવે - કુંકાવાવ ની બહેન ડો. હરિજ્ઞા મહેશકુમાર દવે, અશ્વિની આયુર્વેદિક મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્‍ટર - કર્ણાટક' થી બી. એ. એમ. એસ.ની પદવી પ્રાપ્ત કરેલ છે.

ડો. હરિજ્ઞા મહેશકુમાર દવે, કોલેજના આચાર્ય ડો. એચ. એમ. હરિશાના હસ્‍તે પદવી સર્ટિફિકેટ પ્રાપ્ત કરેલ છે. સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ વિદ્યા પ્રસારક મંડળ - રાજકોટ, ડી.એમ. જોશી સ્‍મૃતિ મેડિકલ ટ્રસ્‍ટ, રાજકોટ જ્ઞાતિજનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ છે. સમાજમાંથી ડો. હરીજ્ઞાબેન દવેને મો.નં. ૮૮૪૯૭૯૭૮૮૩ અભિનંદનની વર્ષા થઇ રહી છે. હાલ ડો. હરિજ્ઞાબેન દવે સ્‍ટર્લિંગ હોસ્‍પિટલમાં સેવા આપી રહ્યા છે.

 

(4:18 pm IST)