Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

વવાણીયા ગામે ૨ એપ્રિલે નિઃશુલ્‍ક નિદાન કેમ્‍પ અને રકતદાન કેમ્‍પનું આયોજન

નાનાલાલ મહેતા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા દર્દીઓને દવા પણ અપાશે, દરેક રકતદાતાને ભેટ અપાશે

 

રાજકોટઃ સ્‍વ.શ્રી નાનાલાલ દલીચંદ મહેતા ચેરિટેબલ ટ્રસ્‍ટ દ ્‌વારા ફ્રી નિદાન કેમ્‍પ અને રકતદાન મહાઅભિયાનનું  તા.૨ એપ્રિલના રવિવારે સવારે ૯ થી ૨ દરમ્‍યાન પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર, વવાણીયા મુકામે કરવામાં આવ્‍યું છે.

વવાણીયા અને આજુબાજુના લોકો માટે સામાન્‍ય રોગો તથા ત્‍વચાના રોગ જેવા કે ધાધર, ખુજલી, ખરજવું વગેરે માટે મફત નિદાન અને દવા વિતરણની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. કેમ્‍પમાં દરેક રકતદાતાને આકર્ષક ભેટ આપવામાં આવશે.

આ અંગે વધુ માહિતી માટે નરેશભાઈ (હેલ્‍થ ઓફિસર) મો.૭૬૯૮૪ ૩૨૦૩૨, ઘનુભા પરમાર મો.૯૮૨૫૪ ૦૦૬૦૯, શરદભાઈ મહેતા મો.૯૮૭૯૮ ૩૭૪૨૪, નિતીનભાઈ કોઠારી મો.૯૯૦૯૮ ૨૩૯૯૯નો સંપર્ક કરવા જણાવાયું છે.(

 

(3:44 pm IST)