Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

પાંજરાપોળ પાસે રહેતાં પ્રવિણભાઇ ગોહેલનું બેભાન હાલતમાં મોત

અગાઉ ખંઢેરી ખાતે ક્રિકેટ સ્‍ટેડિયમમાં નોકરી કરતા'તા

રાજકોટ તા. ૨૪: પાંજરાપોળ રવજી પગીની શેરીમાં રહેતાં પ્રવિણભાઇ અરજણભાઇ ગોહેલ (ઉ.વ.૬૧) મોડી રાતે બે વાગ્‍યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના તોૈફિકભાઇ જૂણાચે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનારને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પોતે અગાઉ ખંઢેરી ક્રિકેટ સ્‍ટેડિયમમાં નોકરી કરતાં હતાં. હાલમાં નિવૃત જીવન જીવતાં હતાં.

(3:28 pm IST)