Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

કોટડાસાંગાણીનાં શ્રી નિકાલાવાળા મામાદેવ મંદિરે શ્રીમદ્‌્‌ દેવી ભાગવત મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

(બશીર બાંગા દ્વારા) કોટડાસાંગાણી તા. ર૪ :.. રાજકોટ જીલ્લાના કોટડાસાંગાણીમાં શ્રી દાસી જીવણ સાહેબ મંદિર પાસે, શ્રી નિકાલાવાળા મામાદેવ મંદિર ખાતે તા. રર ને બુધવારથી શ્રીમદ્‌્‌ દેવી ભાગવત મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે.

કથાનાં વ્‍યાસાસને રાજકોટનાં કથાકાર ભાવેશભાઇ વ્‍યાસ સંગીતમય શૈલીમાં કથાનું દરરોજ સવારે ૯ થી ૧ર તથા બપોરે ૩ થી ૬ રસપાન કરાવી રહ્યા છે. ભાવિકો માટે દરરોજ બપોરે ૧ર થી ૧.૩૦ સુધી ભોજન પ્રસાદનું આયોજન કરાયું છે.

આજે સવારે ૧૦-૩૦ વાગ્‍યે શ્રી ભુવનેશ્વરી પ્રાગટય (નવદુર્ગા) તા. રપ ને  શનીવારે સાંજે પ.૩૦ વાગ્‍યે શ્રી જગદંબા પ્રાગટય (નવદુર્ગા) તા. ર૬ ને રવિવારે રાત્રે ૯ વાગ્‍યે દેવડાયરો યોજાશે.

કાલે તા. ર૭ ને સોમવારે બપોરે ૧૧.૩૦ વાગ્‍યે શ્રી સતી પ્રાગટય, તા. ર૮ ને મંગળવારે સાંજે પ.૩૦ વાગ્‍યે શ્રી શિવ વિવાહ, તા. ર૯ ને બુધવારે સાંજે પ વાગ્‍યે શ્રી અન્નપુર્ણા પ્રાગટય તથા તા. ૩૦ ને ગુરૂવારે સાંજે પ.૩૦ વાગ્‍યે શ્રી જન્‍મેજય મોક્ષ સાથે કથા વિરામ લેશે.

રાવળદેવ કાથડભાઇ તથા મિલનભાઇ (મોટી મેંગણીવાળા)નો કાર્યક્રમ યોજાશે.

લાભ લેવા આયોજક શ્રી નિકાલા વાળા મામાદેવ પરિવાર તથા સમસ્‍ત કોટડા સાંગાણી ગામ શ્રી નિકાલા વાળા મામાદેવ મંદિર શ્રી દાસીજીવણ સાહેબ મંદિર પાસે, કોટડા સાંગાણી, જી. રાજકોટ. મો. નં. ૯૮ર૪૮ ૭૯૩૧૧, ૯૬ર૪૬ ૦૬૧૮૮, ૬૩પરર ૬રર૩ર, ૮૧૪૦૭ ૭૧૦૯૦, મો. ૯૯૭૮૧ ર૦ર૦૪ ના હોદેદારો દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

(11:49 am IST)